________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ૨
ભગવાન શ્રી કુંદકુંદ- કહાનજૈનશાસ્ત્રમાળા
થવાનું ન હતું પણ હું નિમિત્ત થયો ત્યારે તેમાં કાર્ય થયું. એટલે તે તો સ્વપરની એકત્વબુદ્ધિ જ થઈ. ર૬. લાકડું એની મેળે ઊંચું થાય છે, હાથના નિમિત્તથી નહિ.
આ લાકડું છે, તેનામાં ઊંચું થવાની લાયકાત છે, પણ જ્યારે મારો હાથ તેને સ્પર્શે ત્યારે તે ઊપડે અર્થાત્ જ્યારે મારો હાથ તેને નિમિત્ત થાય ત્યારે તે ઊપડે' એમ માનનાર જીવો વસ્તુના પર્યાયને સ્વતંત્ર માનતા નથી એટલે કે તેઓની સંયોગી દષ્ટિ છે, તેઓ વસ્તુના સ્વભાવને જ માનતા નથી તેથી મિથ્યાદષ્ટિ છે. લાકડું જ્યારે ઊંચું નથી થતું ત્યારે તેનામાં ઊંચું થવાની લાયકાત જ નથી, અને જ્યારે તેનામાં લાયકાત હોય છે ત્યારે તે સ્વયં ઊંચું થાય છે. પણ હાથના નિમિત્તથી ઊંચું થતું નથી. પણ જ્યારે ઊંચું થાય ત્યારે હાથ વગેરે નિમિત્ત સ્વયમેવ હોય જ. એવો ઉપાદાનનિમિત્તનો મેળ કુદરતી સ્વભાવથી જ હોય છે. નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે હાથના નિમિત્તે ઊંચું થયું' એમ કહેવાનો માત્ર વ્યવહાર છે.
૨૭. લોહચુંબક સોયને ખેંચતું નથી. લોહચુંબક પથ્થર તરફ લોઢાની સોય ખેંચાય છે, ત્યાં લોહચુંબકે સોયને ખેંચી નથી પણ સોયે પોતાની યોગ્યતાથી જ ગમન કર્યું છે.
પ્રશ્ન: જો સોય પોતાની યોગ્યતાથી જ ગમન કરતી હોય તો જ્યારે લોહચુંબક પથ્થર નજીક આવ્યું ત્યારે જ કેમ ગમન કર્યું.?
ઉત્તર- પહેલાં સોયમાં ગમન કરવાની યોગ્યતા જ ન હતી તથા તે વખતે લોહચુંબક પાસે (સોયને ખેંચાવા યોગ્ય ક્ષેત્રમાં) હોય જ નહિ અને
જ્યારે સોયમાં ક્ષેત્રાંતર કરવાની યોગ્યતા હોય ત્યારે લોહચુંબક અને તેના વચ્ચે અંતરાય હોય જ નહિ. એવો જ ઉપાદાન નિમિત્તનો સંબંધ છે કે બંનેનો મેળ હોય, છતાં એકબીજાના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com