________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્તની સ્વતંત્રતા
૫૧
ન થાય' એવી માન્યતાઓને અવકાશ જ ક્યાં છે? જો સભ્યગ્નિયતવાદનો નિર્ણય હોય તો નિમિત્તાધીનદષ્ટિ ટળી જાય છે.
૨૪. મિથ્યાનિયતવાદને ‘ ગૃહીત ’ મિથ્યાત્વ કેમ કહ્યું ? પ્રશ્ન:- મિથ્યાનિયતવાદને ગૃહીતમિથ્યાત્વ કેમ કહ્યું છે?
ઉત્તર:- નિમિત્તથી ધર્મ થાય, રાગથી ધર્મ થાય, શરીરાદિનું આત્મા કરી શકે એવી માન્યતારૂપ અગૃહીતમિથ્યાત્વ તો અનાદિનું હતું અને જનમ્યા પછી શાસ્ત્ર વાંચીને અથવા કુગુરુ વગેરેના નિમિત્તે મિથ્યાનિયતવાદનો નવો કદાગ્રહ ગ્રહણ કર્યો તેથી તેને ગૃહીતમિથ્યાત્વ કહેવાય છે. પહેલાં જેને અનાદિનું અગૃહીમિથ્યાત્વ હોય તેને જ ગૃહીતમિથ્યાત્વ થાય. જીવો શાતાશીળિયાપણાથી, ઇન્દ્રિયવિષયોના પોષણ માટે, ‘થવાનું હશે તેમ થશે' એમ કહી એક સ્વચ્છંદતાનો માર્ગ શોધી કાઢે તેનું નામ ગૃહીતમિથ્યાત્વ છે, અને આ સમ્યગ્નિયતવાદ તો સ્વભાવભાવ છે, સ્વતંત્રતા છે, વીતરાગતા છે.
૨૫. સભ્યગ્નિયતવાદના નિર્ણયથી નિમિત્તાધીન દૃષ્ટિ અને સ્વ૫૨ની એકત્વબુદ્ધિ ટળે છે.
જે વસ્તુમાં જે વખતે જેવો પર્યાય થવાનો હોય અને જે નિમિત્તની હાજરીમાં થવાનો હોય, તે વસ્તુમાં તે વખતે તેવો પર્યાય થાય જ અને તે નિમિત્તે જ તે વખતે હોય, બીજા પર્યાય થાય નહિ અને બીજું નિમિત્ત હોય નહિ. એ નિયમમાં ત્રણકાળ, ત્રણલોકમાં ફેરફાર થાય નહિ. આ જ યથાર્થ નિયતનો નિર્ણય છે. તેમાં આત્મસ્વભાવનાં શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્ર આવી જાય છે, અને નિમિત્ત ઉ૫૨ની દષ્ટિ ટળી જાય છે. ‘હું ૫૨નો કર્તા તો નથી પણ હું પરનો નિમિત્ત થાઉ' એવી જેની માન્યતા છે તે મિથ્યાદષ્ટિ છે. પોતે નિમિત્ત છે માટે ૫૨નું કાર્ય થાય છે એમ નથી, પણ સામી ચીજમાં તેની યોગ્યતાથી જે કાર્ય થાય છે તેમાં અન્ય ચીજને નિમિત્ત કહેવામાં આવે છે. ‘હું નિમિત્ત થાઉં' તેનો અર્થ એવો થયો કે, વસ્તુમાં કાર્ય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com