________________
४८
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
-
ભગવાનશ્રી કુંદકુંદ- કહાનજૈનશાસ્ત્રમાળા
યથાર્થ નિર્ણય કરતાં તો પોતાના કેવળજ્ઞાનનો નિર્ણય થઈ જાય છે. ગુરુ, શિષ્ય, શાસ્ત્ર, વગેરે બધાય પદાર્થોની જે સમયે જે લાયકાત હોય તે જ પર્યાય થાય છે એમ નક્કી કર્યું. એટલે પોતે તેનો જાણનાર રહી ગયો, જાણવામાં વિકલ્પ નહિ, અસ્થિરતાનો જે વિકલ્પ ઊઠે તેનો કર્તા નહિ. એ ચેતે ક્રમસર પર્યાયની શ્રદ્ધા થતાં દ્રવ્યદૃષ્ટિ થઈને રાગનું કર્તાપણું ઊડી જાય છે. આવા સમ્યક નિયતવાદની શ્રદ્ધામાં જ પાંચે સમવાય એકસાથે સમાઈ જાય છે. પ્રથમ તો સ્વભાવનું જ્ઞાન અને શ્રદ્ધા કરી તે પુરુષાર્થ, તે જ સમયે જે નિર્મળ પર્યાય પ્રગટવાનું નિયત હતું તે જ પર્યાય પ્રગટયો છે તે નિયતિ, તે સમયે જે પર્યાય પ્રગટયો તે જ સ્વકાળ, જે પર્યાય પ્રગટયો તે સ્વભાવમાં હતી- તે જ પ્રગટયો છે તે સ્વભાવ અને તે વખતે પુદ્દગલ કર્મનો સ્વયં અભાવ હોય છે તે અભાવરૂપ નિમિત્ત; અને સદ્ગુરુ વગેરે હોય તે સદ્દભાવરૂપ નિમિત્ત છે. ક્રમબદ્ધપર્યાય જ થાય છે એની શ્રદ્ધા કરતાં અથવા તો સમ્યક નિયતવાદનો નિર્ણય કરતાં જીવ જગતનો સાક્ષી થઈ જાય છે. આમાં સ્વભાવનો અનંત પુરુષાર્થ સમાય છે. આ જૈન દર્શનનું મૂળભૂત રહસ્ય છે.
૨૧. સમ્યક્ નિયતવાદ ને મિથ્યા નિયતવાદ.
ગોમટ્ટસાર કર્મકાંડ ગા. ૮૮૨ માં જે નિયતવાદી જીવને ગૃહીત મિથ્યાદષ્ટિ કહ્યો છે તે જીવ તો નિયતવાદી વાત કરે છે પણ પોતાના જ્ઞાનમાં જ્ઞાતા દ્રષ્ટાપણાનો પુરુષાર્થ કરતો નથી. જો સગ્નિયતવાદનો યથાર્થ નિર્ણય કરે તો સ્વભાવનો જ્ઞાતા-દ્રષ્ટાપણાનો પુરુષાર્થ તેમાં આવી જ જાય છે. પણ તે જીવ તો એકલા પર લક્ષે જ નિયતવાદ માની રહ્યો છે અને નિયતવાદના નિર્ણયમાં પોતાનું જે જ્ઞાન અને પુરુષાર્થ કાર્ય કરે છે તેને તે સ્વીકારતો નથી તેથી તે જીવ મિથ્યા નિયતવાદી છે અને તેને જ ગૃહીતમિથ્યાત્વી કહ્યો છે. નિયતવાદનો સભ્યગ્નિર્ણય તે તો ગૃહીત તેમજ અગૃહીતમિથ્યાત્વનો નાશ કરનાર છે. સગ્નિયતવાદ કહો કે સ્વભાવ કહો, તેમાં તે દરેક સમયના પર્યાયની સ્વતંત્રતા સિદ્ધ થઈ જાય છે. જો આ ન્યાય જીવ બરાબર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com