________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્તની સ્વતંત્રતા
४७
જેમ થવાનું તેમ થવાનું જ છે, તેમાં કિંચિત્ ફેરફાર કરવા કોઈ સમર્થ નથી એવો જ્ઞાનમાં નિર્ણય કરવો તે સમ્યક્ નિયતવાદ છે, અને તે નિર્ણયમાં સ્વભાવ તરફનો અનંત પુરુષાર્થ આવી જાય છે. બધું જ નિયત છે એમ જે જ્ઞાને નિર્ણય કર્યો તે જ્ઞાનમાં એમ પણ નિર્ણય થઈ ગયો કે કોઈ પણ દ્રવ્યમાં કંઈ પણ ફેરવવા હું સમર્થ નથી. એ રીતે, નિયતનો નિર્ણય કરતાં ‘હું પરનું કરી શકું' એવો અહંકાર ટળી ગયો અને જ્ઞાન પરથી ઉદાસીન થઈને સ્વભાવ તરફ વળ્યું. હવે પોતાનો પર્યાય પણ ક્રમબદ્ધ જ છે. તે ક્રમબદ્ધ પણાનો નિર્ણય કરનારું જ્ઞાન, રાગ હોવા છતાં તેનો નિષેધ કરીને દ્રવ્યસ્વભાવ તરફ ઢળે છે કઈ રીતે ઢળે છે? જ્યારે રાગને જાણે છે ત્યારે જ્ઞાનમાં એમ વિચારે છે કે, મારા ક્રમબદ્ધ પર્યાયને દ્રવે છે, તે ત્રિકાળી દ્રવ્ય રાગસ્વરૂપ નથી, માટે આ જે રાગ થયો છે તે મારું સ્વરૂપ નથી અને હું તેનો કર્તા નથી અને હું તેનો કર્તા નથી. આ રીતે, સમ્ગનિયતવાદનો પોતાના જ્ઞાનમાં જેણે યથાર્થ નિર્ણય કર્યો તે જીવનું જ્ઞાન પોતાના શુદ્ધ સ્વભાવ તરફ ઢળ્યું અને તેને સ્વભાવનાં શ્રદ્ધા-જ્ઞાન થયાં, ૫૨થી ઉદાસીન થયો, રાગનો અકર્તા થયો, ને પરથી તથા વિકારથી ખસીને બુદ્ધિ સ્વભાવમાં જ રોકાણી. આ સમ્મષ્ક્રિયતવાદનું ફળ છે; તેમાં જ્ઞાન અને પુરુષાર્થનો સ્વીકાર છે, પણ જે જીવ નિયતવાદને માને છે એટલે કે જેમ થવાનું હશે તેમ થશે એમ માને છે, પરંતુ નિયતવાદના નિર્ણયમાં પોતાનું જે જ્ઞાન અને પુરુષાર્થ આવે છે તેનો સ્વીકાર કરતો નથી અર્થાત્ સ્વભાવ તરફ ઢળતો નથી તે મિથ્યાદષ્ટિ છે; અને નિયતવાદ તે ગૃહીત મિથ્યાત્વનો ભેદ છે તેથી તે ગૃહીમિથ્યા દષ્ટિ છે.
૨૦. સમ્યક્ નિયતવાદમાં પુરુષાર્થ વગેરે પાંચે સમવાય એકસાથે છે.
જે અજ્ઞાનીઓ યથાર્થ નિર્ણય ન કરી શકે તેમને એમ લાગે કે આ તો એકાંત નિયતવાદ થઈ જાય છે. પરંતુ આ નિયતવાદનો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com