________________
૪૬
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાનશ્રી કુંદકુંદ- કહાનજૈનશાસ્ત્રમાળા
માણુ કર્તા અને રાગ તેનું કર્મ એમ ઠરે. પણ રાગ તો જીવનો પર્યાય છે અને વાણી તો પરમાણુનો પર્યાય છે. તેમને કર્તાકર્મભાવ ક્યાંથી હોય ? જીવના પર્યાયની લાયકાત હોય તો રાગ થાય છે, ને વાણી તે પરમાણુઓનું તે વખતનું સહજ પરિણમન છે. પરમાણુઓ સ્વતંત્રપણે વાણીરૂપે પરિણમે ત્યારે જીવને રાગ હોય તો તેને નિમિત્ત કહેવાય છે. કેવળી ભગવાનને વાણી હોય છતાં રાગ હોતો નથી.
૧૭. શ૨ી૨ એની પોતાની યોગ્યતાથી ચાલે છે, જીવની ઈચ્છાથી નહિ.
જીવ ઈચ્છા કરે માટે શરીર ચાલે છે એમ નથી, અને શરીર ચાલે છે માટે જીવને ઈચ્છા થાય છે એમ પણ નથી. શરીરના પરમાણુઓમાં ક્રિયા વતી શક્તિની લાયકાતથી ગતિ થાય છે, ત્યારે કોઈ જીવને પોતાની અવસ્થાની લાયકાતથી ઈચ્છા હોય છે અને કોઈને નથી પણ હોતી. કેવળીને શરીરની ગતિ હોવા છતાં ઇચ્છા નથી હોતી. ઈચ્છાના નિમિત્તથી શરીર ચાલે છે એ વાત ખોટી છે. અને ગતિના નિમિત્તથી ઈચ્છા થાય છે એ વાત પણ ખોટી છે.
૧૮. વિકલ્પ નિમિત્ત છે માટે ધ્યાન જામે છે એ વાત સાચી નથી.
ચૈતન્યના ધ્યાનનો વિકલ્પ ઊઠે તે રાગ છે, તે વિકલ્પરૂપી નિમિત્તના કારણે ધ્યાન જામે છે એમ નથી, પણ જ્યાં ધ્યાન જામવાનું હોય ત્યાં પહેલાં વિકલ્પ હોય છે. પણ વિકલ્પને કારણે ધ્યાન નથી, ને ધ્યાનને કારણે વિકલ્પ નથી. જે પર્યાયમાં વિકલ્પ હતો. તે પર્યાયની સ્વતંત્ર લાયકાતથી હતો અને જે પર્યાયમાં ધ્યાન જામ્યું તે તે પર્યાયની સ્વતંત્ર લાયકાતથી જામ્યું છે.
૧૯. સમ્યનિયતવાદ અને તેનું ફળ
પ્રશ્ન:- આ તો નિયતવાદ થઈ જાય છે?
ઉત્તર:- આ સમ્યક્ નિયતવાદ છે, મિથ્યા નિયતવાદ નથી. સમ્યક્ નિયતવાદ એટલે શું? જે પદાર્થમાં જે સમયે જે ક્ષેત્રે જે નિમિત્તે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com