________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્તની સ્વતંત્રતા
૪૩
વિકલ્પ કર્યો માટે તે વિકલ્પને આધીન લૂગડાં છૂટી ગયાં એમ જો હોય તો વિકલ્પ તે કર્તા થયો અને લૂગડાં છૂટ્યાં તે તેનું કર્મ થયું. એટલે કે બે દ્રવ્યો એક થઈ જાય. તેવી જ રીતે, લૂગડાં છૂટવાનાં હતાં માટે જીવને વિકલ્પ આવ્યો એમ પણ નથી. કેમ કે જો એમ હોય તો લૂગડાંના પર્યાય તે કર્તા ઠરે, એટલે કે બે દ્રવ્યો એક થઈ જાય પણ જ્યારે સ્વભાવના ભાનપુર્વક ચારિત્રનો વિકલ્પ ઊઠે અને ચારિત્ર ગ્રહણ કરે ત્યારે વસ્ત્ર છૂટવાનો પ્રસંગ સહજપણે તેના કારણે હોય છે. પણ “મેં વસ્ત્ર છોડયાં અથવા તો મારો વિકલ્પ નિમિત્ત થયો તેથી વસ્ત્ર છૂટી ગયાં' એવી માન્યતા તે મિથ્યાત્વ છે. વીતરાગી ચારિત્ર પહેલાં પંચમહાવ્રતાદિનો વિકલ્પ આવ્યા વગર ન રહે. પણ તે વિકલ્પના આશ્રય ચારિત્રાદશા પ્રગટતી નથી.
ચારિત્રમાં પંચમહાવ્રતના વિકલ્પને નિમિત્ત કહેવાય છે. વિકલ્પ તો રાગ છે તેનાથી સ્વભાવ તરફ ઢળાતું નથી પણ વિકલ્પ છોડીને સ્વભાવ તરફ ઢળે ત્યારે પુર્વના વિકલ્પને નિમિત્ત કહેવાય છે. પંચમહાવ્રતાદિના વિકલ્પને ચારિત્રનું નિમિત્ત ક્યારે કહેવાય? એ સ્વભાવમાં લીનતાનો પુરુષાર્થ કરીને ચારિત્રદશા પ્રગટ કરે તો વિકલ્પને તેનું નિમિત્ત કહેવાય. પણ પંચમહાવ્રતના વિકલ્પરૂપ નિમિત્ત કરું તો ચારિત્ર પ્રગટે-એવી માન્યતા તે મિથ્યાત્વ છે. તેવી જ રીતે વ્યવહાર દર્શન, વ્યવહાર જ્ઞાનને વ્યવહાર ચારિત્રનાં પરિણામ કરું તો તેનાથી નિશ્ચય દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટે એ માન્યતા પણ મિથ્યાત્વ છે.
૧૨. સમય સમયની સ્વતંત્રતા અને ભેદજ્ઞાન આ વાત દરેક વસ્તુના સ્વતંત્ર સ્વભાવની છે. સ્વભાવની સ્વતંત્રતા ન સમજે અને “નિમિત્તથી થાય” એમ માને ત્યાં સભ્યશ્રદ્ધા નથી, અને સભ્યશ્રદ્ધા વગર જ્ઞાન સાચું નથી. શાસ્ત્રનાં ભણતર સાચાં નથી, વ્રત સાચાં નથી, ત્યાગ સાચો નથી. દરેક વસ્તુમાં સમય સમયના પર્યાયની સ્વતંત્રતા છે. દરેક પદાર્થમાં તેના કારણે સમય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com