________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૨
ભગવાનશ્રી કુંદકુંદ- કહાનજૈનશાસ્ત્રમાળા
—
—
—
—
—
—
—
=
=
=
=
અશુભ વિકલ્પ આવ્યો માટે દેહની ક્રિયા થઈ એમ નથી. દેહની ક્રિયા થવાની હતી માટે અશુભ વિકલ્પ આવ્યો નથી. દરેક દ્રવ્ય પોતાનું કાર્ય સ્વતંત્રપણે કર્યું છે.
૧૦. જીવ નિમિત્તોને મેળવી કે દૂર કરી શકે નહિ,
માત્ર પોતાનું લક્ષ ફેરવી શકે. જીવ પોતામાં શુભભાવ કરી શકે; પણ શુભભાવ કરવાથી તે બહારનાં શુભ નિમિત્તોને મેળવી શકે અથવા તો અશુભ નિમિત્તોને દૂર કરી શકે એમ નથી. જીવ પોતે અશુભ નિમિત્તો ઉપરથી લક્ષ ફેરવીને શુભ નિમિત્તો ઉપર લક્ષ કરે, પણ નિમિત્તોને નજીક લાવવા કે દૂર કરવા તે જીવ કરી શકતો નથી. કોઈ જિનમંદિર વગેરે ધર્મસ્થાનનો શિલાન્યાસ (ખાતમુહૂર્ત) કરવાનો શુભ ભાવ જીવે કર્યો, માટે જીવના ભાવને લીધે બહારમાં ખાતમુહૂર્તની ક્રિયા થઈ એ વાત ખોટી છે. જીવ માત્ર નિમિત્ત ઉપર લક્ષ કરે અથવા લક્ષ છોડ, પણ નિમિત્તરૂપ પદાર્થોમાં તે કંઈ ફેરફાર કરી શકે નહિ. આવો વસ્તુનો સ્વભાવ જ છે; આ સમજવું તે ભેદજ્ઞાન છે.
૧૧. પંચમહાવ્રતને કારણે ચરિત્રદશા નથી,
ને ચારિત્રના કારણે વસ્ત્રનો ત્યાગ નથી. જેને આત્માની નિર્મળ વીતરાગી ચરિત્ર દશા થાય તેને તે દશા થયા પહેલાં ચારિત્ર અંગીકાર કરવાનો વિકલ્પ ઊઠે. જે વિકલ્પ ઊઠયો તે રાગ છે, તેના કારણે વીતરાગભાવરૂપ ચારિત્ર પ્રગટતું નથી, ચારિત્ર તો તે જ સમયની પર્યાયના પુરુષાર્થથી પ્રગટયું છે.
ચારિત્રદશામાં શરીરની નગ્ન દશા શરીરના કારણે હોય છે. આત્માને ચારિત્ર અંગીકાર કરવાનો વિકલ્પ ઊયો તેના કારણે અથવા તો ચરિત્રદશા પ્રગટ કરી તેના કારણે શરીર ઉપરથી લૂગડાં ખસી ગયાં એમ નથી, પણ તે સમયે લૂગડાંના પરમાણુઓની અવસ્થામાં ક્ષેત્રમંતરની તેવી જ લાયકાત હતી તેથી જ ખસ્યાં છે, આત્માએ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com