________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થ
૨૯
-
-
—
—
—
—
——
પ્રશ્ન- ભગવાને તો મોક્ષમાર્ગના પાંચ સમવાય કહ્યા છે, અને તમે તો એક પુરુષાર્થ-પુરુષાર્થ જ કરો છો, તો પછી તેમાં બીજા ચાર સમવાયો કઈ રીતે આવે છે?
ઉત્તર- જ્યાં જીવ સાચો પુરુષાર્થ કરે છે ત્યાં સ્વયં બીજા ચારે સમવાય હોય જ છે. પાંચ સમવાયનું સંક્ષિપ્ત સ્વરૂપ નીચે પ્રમાણે સમજવું.
૧-પરનું હું કાંઈ કરનાર નથી, હું તો જ્ઞાયક છું. મારો પર્યાય મારા દ્રવ્યમાંથી આવે છે. આમ, સ્વભાવદષ્ટિ કરીને પરની દષ્ટિ તોડી તે પુરુષાર્થ.
ર-સ્વભાવદષ્ટિનો પુરુષાર્થ કરતાં જે નિર્મળ દશા પ્રગટી, તે દશા સ્વભાવમાં હતી તે જ પ્રગટી છે, એટલે જે શુદ્ધતા પ્રગટી તે સ્વભાવ.
૩-સ્વભાવદષ્ટિના પુરુષાર્થ વડે સ્વભાવમાંથી જે ક્રમબદ્ધ પર્યાય તે સમયે પ્રગટવાનો હતો તે જ શુદ્ધ પર્યાય તે સમયે પ્રગટયો તે નિયત. સ્વભાવની દષ્ટિના જોરે સ્વભાવમાં જે પર્યાય પ્રગટવાની તાકાત હતી તે જ પર્યાય પ્રગટયો છે. બસ! સ્વભાવમાંથી જે સમયે જે દશા પ્રગટી તેજ પર્યાય તેનું નિયત છે. પુરુષાર્થ કરનાર જીવને સ્વભાવમાં જે નિયત છે તે જ પ્રગટે છે પણ બહારથી આવતું નથી.
૪-સ્વદષ્ટિના પુરુષાર્થ વખતે જે દશા પ્રગટી તે જ તે વખતનો સ્વકાળ છે. પહેલાં પર તરફ ઢળતો તેને બદલે સ્વમાં ઢળ્યો તે જ સ્વકાળ છે.
પ-સ્વભાવદષ્ટિથી જ્યારે આ ચાર સમવાય પ્રગટયા ત્યારે નિમિત્તરૂપ કર્મો તેની પોતાની લાયકાતથી સ્વયં ખસી ગયાં છે, તે “કર્મ' છે.
આમાં પુરુષાર્થ, સ્વભાવ, નિયત અને કાળ એ ચાર સમવાય અતિરૂપ છે અર્થાત્ તે ચારે ઉપાદાનના પર્યાયમાં લાગુ પડે છે અને પાંચમું સમવાય નાસિરૂપ છે તે નિમિત્તમાં લાગુ પડે છે. અથવા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com