________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થ
૨૯
-
-
—
—
—
—
——
પ્રશ્ન- ભગવાને તો મોક્ષમાર્ગના પાંચ સમવાય કહ્યા છે, અને તમે તો એક પુરુષાર્થ-પુરુષાર્થ જ કરો છો, તો પછી તેમાં બીજા ચાર સમવાયો કઈ રીતે આવે છે?
ઉત્તર- જ્યાં જીવ સાચો પુરુષાર્થ કરે છે ત્યાં સ્વયં બીજા ચારે સમવાય હોય જ છે. પાંચ સમવાયનું સંક્ષિપ્ત સ્વરૂપ નીચે પ્રમાણે સમજવું.
૧-પરનું હું કાંઈ કરનાર નથી, હું તો જ્ઞાયક છું. મારો પર્યાય મારા દ્રવ્યમાંથી આવે છે. આમ, સ્વભાવદષ્ટિ કરીને પરની દષ્ટિ તોડી તે પુરુષાર્થ.
ર-સ્વભાવદષ્ટિનો પુરુષાર્થ કરતાં જે નિર્મળ દશા પ્રગટી, તે દશા સ્વભાવમાં હતી તે જ પ્રગટી છે, એટલે જે શુદ્ધતા પ્રગટી તે સ્વભાવ.
૩-સ્વભાવદષ્ટિના પુરુષાર્થ વડે સ્વભાવમાંથી જે ક્રમબદ્ધ પર્યાય તે સમયે પ્રગટવાનો હતો તે જ શુદ્ધ પર્યાય તે સમયે પ્રગટયો તે નિયત. સ્વભાવની દષ્ટિના જોરે સ્વભાવમાં જે પર્યાય પ્રગટવાની તાકાત હતી તે જ પર્યાય પ્રગટયો છે. બસ! સ્વભાવમાંથી જે સમયે જે દશા પ્રગટી તેજ પર્યાય તેનું નિયત છે. પુરુષાર્થ કરનાર જીવને સ્વભાવમાં જે નિયત છે તે જ પ્રગટે છે પણ બહારથી આવતું નથી.
૪-સ્વદષ્ટિના પુરુષાર્થ વખતે જે દશા પ્રગટી તે જ તે વખતનો સ્વકાળ છે. પહેલાં પર તરફ ઢળતો તેને બદલે સ્વમાં ઢળ્યો તે જ સ્વકાળ છે.
પ-સ્વભાવદષ્ટિથી જ્યારે આ ચાર સમવાય પ્રગટયા ત્યારે નિમિત્તરૂપ કર્મો તેની પોતાની લાયકાતથી સ્વયં ખસી ગયાં છે, તે “કર્મ' છે.
આમાં પુરુષાર્થ, સ્વભાવ, નિયત અને કાળ એ ચાર સમવાય અતિરૂપ છે અર્થાત્ તે ચારે ઉપાદાનના પર્યાયમાં લાગુ પડે છે અને પાંચમું સમવાય નાસિરૂપ છે તે નિમિત્તમાં લાગુ પડે છે. અથવા
Please inform us of any errors on
[email protected]