________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થ
–––––––––––
-
-
-
-------
સ્વતંત્ર “પર્યાય-ધર્મની અને જ્ઞાનના કાર્યની ખબર નથી. જ્ઞાનનું કાર્ય માત્ર જાણવાનું છે, જાણવામાં “આમ કેમ” એ શંકા ક્યાં છે? “આમ કેમ? એવી શંકા કરવાનું સ્વરૂપ જ્ઞાનનું નથી, પણ “જે પર્યાય થાય છે તે વસ્તુના ધર્મ પ્રમાણે જ થાય છે માટે જેમ થાય તેમ તેને જાણવાનો જ્ઞાનનો સ્વભાવ છે. આ રીતે જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરીને જ્ઞાની તો નિ:શંકપણે બધાને જાણ્યા જ કરે છે. આવા જ્ઞાનના જારે કેવળજ્ઞાન અને પોતાના પર્યાય વચ્ચેના અંતરને તોડીને પુર્ણ કેવળજ્ઞાન તે અલ્પકાળમાં પ્રગટ કરશે.
જે જીવ વસ્તુના ક્રમબદ્ધ સ્વતંત્ર પર્યાયને નથી માનતો અને “પરનું હું ફેરવું કે પર મને રાગદ્વેષ કરાવે” એમ માને છે તેને સર્વજ્ઞના જ્ઞાનની શ્રધ્ધા નથી તેમ જ તે સર્વજ્ઞના આગમથી પ્રતિકૂલ, પ્રગટપણે મિથ્યાષ્ટિ છે. સર્વજ્ઞના જ્ઞાનમાં જે જણાયું તેમાં હું ફેરફાર કરી દઉં એમ જેણે માન્યું તેણે સર્વજ્ઞના જ્ઞાનને માન્યું નથી. સર્વજ્ઞનું જ્ઞાન અને તેમની શ્રીમુખવાણીના ન્યાયોને જે નથી માનતો તે પ્રગટપણે મિથ્યાદષ્ટિ છે. સર્વજ્ઞદેવ ત્રણ કાળ, ત્રણ લોકનાં બધાં દ્રવ્યોના પર્યાયને જાણે છે અને બધી વસ્તુના પર્યાય પ્રગટપણે તેનાથી વિરુધ્ધ (સર્વજ્ઞના જ્ઞાનથી અને વસ્તુના સ્વરૂપથી વિરુધ્ધ ) જે માને છે તે સર્વજ્ઞનો અને પોતાના આત્માનો વિરોધી પ્રગટપણે મિથ્યાદષ્ટિ છે.
ભલે, પર્યાય ક્રમબદ્ધ થાય છે પણ પુરુષાર્થ વગર પર્યાય થતો નથી. જે તરફનો પુરુષાર્થ કરે તે તરફનો ક્રમબદ્ધ પર્યાય થાય. કોઈ પૂછે કે આમાં તો નિયત આવ્યું ને? તો ઉત્તર:- ભાઈ ! ત્રણે કાળના નિયત પર્યાયનો નિર્ણય કરનાર કોણ છે? જેણે ત્રણે કાળના પર્યાય નક્કી કર્યા તેણે દ્રવ્ય જ નક્કી કર્યું છે. પર લક્ષે સ્વનું નિયત માને તો તો એકાંતવાદી વાતોડિયો છે અને પોતાના સ્વભાવના લક્ષ સ્વભાવમાં પોતે ભળીનેસ્વભાવની એકતા કરીને, રાગ ટાળીને જે જ્ઞાયક થઈ ગયો છે તેને તો પોતાના સ્વભાવના પુરુષાર્થમાં નિયત
Please inform us of any errors on rajesh@AtmaDharma.com