________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભિન્ન-ભિન્ન જીવોની અપેક્ષાએ, ઉપરિતન સમયવર્તી જીવના પરિણામ અધતનવર્તી જીવના પરિણામથી વિસદશ જ (અનંતગુણી વિશુદ્ધિવાળા જ) હોય છે અને અભિન્ન સમયવર્તી જીવોના પરિણામ સદા સદશ જ હોય છે. આ ગુણસ્થાનમાં સ્થિત જીવોની આવી પરિણામ-ધારા હોવાથી આ ગુણસ્થાનનું નામ અનિવૃત્તિકરણ છે. એનો કાળ પણ અંતર્મુહૂર્ત છે. આ ગુણસ્થાનમાં સ્થિત જીવો ધ્યાનરૂપી અગ્નિ વડે મોહનીયની ૨૦ પ્રકૃતિઓની ઉપશમના કરે છે અથવા મોહની ૨૦ પ્રકૃતિઓની તથા નામ કર્મની ૧૩ પ્રકૃતિઓની ક્ષપણા કરે છે. એમને બધ્યમાન આયુનો અભાવ હોય છે. (૧૦) સૂક્ષ્મ સામ્પરાય
જે જીવોના સૂક્ષ્મ ભાવને પ્રાપ્ત સમ્પરાય એટલે કે અબુદ્ધિપૂર્વક થવાવાળા સૂક્ષ્મ લોભ કષાયની સાથે પોતાના અન્તર્મુહૂર્ત કાળ સુધી પ્રત્યેક સમયમાં અનંતગુણી વિશુદ્ધિ સહિત એક સમયમાં એક જ (નિયત વિશુદ્ધિવાળો જ) પરિણામ હોય છે અને જેમને નિરંતર કર્મપ્રકૃતિઓનું ઉપશમન અને ક્ષપણ થતું રહે છે, તેમના તે ગુણસ્થાનની સૂક્ષ્મ સામ્પરાય સંજ્ઞા છે.
(૧૧) ઉપશાન્તકષાય
જે ગુણસ્થાનમાં મલિન જળમાં કતકફળ નાખવાથી સ્વચ્છ થયેલા જળ સમાન અથવા શરદ ઋતુમાં સ્વચ્છ થયેલા જળ સમાન જીવોનો દ્રવ્ય-ભાવરૂપ કપાય ઉપશાન્ત રહે છે, તેમના તે ગુણસ્થાનની ઉપશાન્તકષાય સંજ્ઞા છે. એનો કાળ પણ અંતર્મુહૂર્ત છે અને એમાં પૂર્ણ વીતરાગતાની સાથે છદ્મસ્થપણું રહેલું હોવાથી એને ઉપશાન્તકષાય વીતરાગછમી કહે છે. પાછલા ગુણસ્થાનોમાં કષાયોની તારતમ્યતાપૂર્વક જેવો પરિણામ ભેદ દષ્ટિગોચર થાય છે, તેવો પરિણામ ભેદ, વીતરાગ ભાવની પ્રાપ્તિ થવાથી આ અને આગળનાં (ત્યાર પછીનાં) ગુણસ્થાનોમાં દષ્ટિગોચર થતો નથી. અહીં ચાર ઘાતિ કર્મોમાંથી મોહનીય કર્મનો ઉપશમ થાય છે, બાકીનાં ત્રણ ઘાતિ કર્મોનો ક્ષયોપશમ રહે છે. આ ગુણસ્થાનનો કાળ પૂરો થતાં અથવા આયુષ્ય પૂરું થતાં જીવનું આ ગુણસ્થાનથી પતન થાય છે.
૫૮
Please inform us of any errors on rajesh@AtmaDharma.com