________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
પાઠ ૫
આત્માનુભૂતિ અને તત્ત્વવિચાર
‘સુખ શું છે?’ અને ‘હું કોણ છું?’ આ પ્રશ્નોનું સાચું સમાધાન મેળવવાનો એક માત્ર ઉપાય આત્માનુભૂતિ છે, તથા આત્માનુભૂતિ પ્રાપ્ત કરવાનો પ્રારંભિક ઉપાય તત્ત્વવિચાર છે. પરંતુ આત્માનુભૂતિ પોતાની પ્રારંભિક ભૂમિકા જે તત્ત્વવિચાર તેનો પણ અભાવ કરીને પ્રગટ થાય છે; કેમ કે તત્ત્વવિચાર વિકલ્પાત્મક છે અને આત્મા નિર્વિકલ્પ સ્વસંવેધ તત્ત્વ છે. નિર્વિકલ્પ તત્ત્વની અનુભૂતિ વિકલ્પો દ્વારા કરી શકાતી નથી. આ તથ્ય ‘સુખ શું છે?’ અને ‘હું કોણ છું?' એ નામના નિબંધોમાં સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે. અહીં તો વિચારવા યોગ્ય પ્રશ્ન એ છે કે આત્માનુભૂતિની દશા કેવી હોય અને તત્ત્વવિચાર કોને કહેવો?
૧
ર
અન્તરોન્મુખી વૃત્તિ દ્વારા આત્મસાક્ષાત્કારની સ્થિતિનું નામ જ આત્માનુભૂતિ છે. વર્તમાન પ્રગટ જ્ઞાનને ૫૨-લક્ષ્યથી હઠાવીને સ્વદ્રવ્ય (ત્રિકાળી ધ્રુવ આત્મતત્ત્વ) માં કેન્દ્રિત કરવું એ જ આત્મસાક્ષાત્કારની સ્થિતિ છે. તે જ્ઞાનતત્ત્વથી રચાયેલ હોવાથી, જ્ઞાનતત્ત્વની ગ્રાહક હોવાથી અને સમ્યજ્ઞાન-પરિણતિની ઉત્પાદક હોવાથી જ્ઞાનમય છે. તેથી એ આત્માનુભૂતિ જ્ઞાયક, જ્ઞેય, જ્ઞાન અને તિરૂપ હોવા છતાં એ ભેદોથી રહિત અભેદ અને અખંડ છે. તાત્પર્ય એ છે કે જાણનાર પણ સ્વયં આત્મા છે અને જે જાણવામાં આવે તે પણ સ્વયં આત્મા જ છે તથા જ્ઞાન-પરિણતિ પણ આત્મામય થઈ રહી છે.
૧. તત્ત્વજ્ઞાન પાઠમાલા ભાગ ૧, પાઠ ૫.
૨. વીતરાગ-વિજ્ઞાન પાઠમાલા ભાગ ૩, પાઠ પ.
૩૪
Please inform us of any errors on rajesh@AtmaDharma.com