________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
પ્રવચનકાર:
સારું! ઘણું જ સારું! શંકાકાર:
જો ઉપાદાન · દ્રવ્ય વા ‘ગુણ ’ હોય તો તે તો સદાકાળ (ત્રિકાળ ) વિધમાન રહે છે, તેથી વિવક્ષિત કાર્ય નિરંતર થતું રહેવું જોઈએ.
પ્રવચનકાર:
,
ઉપાદાન બે પ્રકારનું હોય છે:
(૧) ત્રિકાળી ઉપાદાન
(૨) ક્ષણિક ઉપાદાન.
જે દ્રવ્ય વા ગુણ સ્વયં કાર્યરૂપ પરિણમે તેને ત્રિકાળી ઉપાદાનકારણ કહે છે. ક્ષણિક ઉપાદાનકારણ બે પ્રકારે સ્પષ્ટ કરવામાં આવે છે :
૧. દ્રવ્ય અને ગુણોમાં અનાદિ-અનંત પર્યાયોનો પ્રવાક્રમ ચાલતો રહે છે. તે અનાદિ-અનંત પ્રવાહક્રમમાં અનન્તર પૂર્વક્ષણવર્તી પર્યાય ક્ષણિક ઉપાદાનકારણ છે અને અનન્તર ઉત્તરક્ષણવર્તી પર્યાય કાર્ય છે.
૨. તે સમયની પર્યાયની તે રૂપે થવાની યોગ્યતા ક્ષણિક ઉપાદાનકારણ છે અને તે પર્યાય કાર્ય છે.
ક્ષણિક ઉપાદાનકારણને સમર્થ ઉપાદાનકારણ પણ કહે છે. ત્રિકાળી ઉપાદાનકારણ તો સદા વિધમાન રહે છે. જો તેને જ પૂર્ણ સમર્થ કારણ માની લેવામાં આવે તો વિવક્ષિત કાર્યની ઉત્પત્તિનો નિત્ય-પ્રસંગ આવે. તેથી અનન્તર પૂર્વક્ષણવર્તી પર્યાય અને તે સમયે તે પર્યાયની ઉત્પન્ન થવાની પોતાની યોગ્યતા જ સમર્થ ઉપાદાનકારણ છે, જેના વિના કાર્યની ઉત્પત્તિ થાય નહીં અને જેના હોવાથી નિયમથી કાર્યની ઉત્પત્તિ થાય જ.
સારાંશરૂપે એમ કહી શકાય કે અનન્તર પૂર્વ પર્યાય વિશિષ્ટ દ્રવ્ય ઉપાદાન છે અને અનન્તર ઉત્તર પર્યાય વિશિષ્ટ દ્રવ્ય ઉપાદેય છે. અનુકૂળ બાહ્ય પદાર્થ નિમિત્ત છે અને વિવક્ષિત કાર્ય નૈમિત્તિક છે.
૨૯
Please inform us of any errors on rajesh@AtmaDharma.com