________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જે પદાર્થમાં કાર્યની નિષ્પત્તિ થાય તેને ઉપાદાન અને તે કાર્યને ઉપાદેય કહે છે, અને નિમિત્તની અપેક્ષાએ કથન કરીએ તો તે જ કાર્યને નૈમિત્તિક કહે છે. એક જ કાર્યને ઉપાદાનકારણની અપેક્ષાએ કથન કરીએ તો ઉપાદેય અને નિમિત્તકા૨ણની અપેક્ષાએ કથન કરીએ તો નૈમિત્તિક કહેવામાં આવે છે.
જિજ્ઞાસુઃ
ઉપાદાન-ઉપાદેય અને નિમિત્ત-નૈમિત્તિકને કૃપા કરી ઉદાહરણ આપીને
સમજાવો.
પ્રવચનકાર:
સાંભળો ! જેમ કે–‘ઘટ’ કાર્યનું ઉપાદાનકારણ માટીરૂપ દ્રવ્ય છે. અહીં ‘માટી ’ ઉપાદાન છે, તેથી તેની અપેક્ષાએ કથન કરતાં ‘ઘટ’ કાર્ય ‘ ઉપાદેય ’કહેવામાં આવે તથા ‘ઘટ' કાર્યનાં કુંભાર, ચક્રાદિ નિમિત્તકારણ છે. નિમિત્તોની અપેક્ષાએ કથન કરતાં તે જ ‘ઘટ’ કાર્યને ‘નૈમિત્તિક' કહેવામાં આવે.
અહીં ઉપાદેય શબ્દનો પ્રયોગ ‘ગ્રહણ કરવા યોગ્ય' એ અર્થમાં નથી. અહીં તો નિમિત્તની અપેક્ષાએ જે કાર્યને નૈમિત્તિક કહેવામાં આવે છે તે જ કાર્યને પોતાના ઉપાદાનની અપેક્ષાએ ઉપાદેય કહેવામાં આવે છે. આશા છે હવે આપ સૌની સમજમાં આવી ગયું હશે.
જિજ્ઞાસુઃ
હા, આવી ગયું! બરાબર સમજમાં આવી ગયું!!
પ્રવચનકાર:
"
તો ‘સુવર્ણહાર' અને ‘સમ્યગ્દર્શન ' રૂપ કાર્યનાં ઉપાદાન-ઉપાદેય અને નિમિત્ત-નૈમિત્તિક બતાવો.
જિજ્ઞાસુઃ
સુવર્ણરૂપ દ્રવ્ય ઉપાદાન છે અને ‘હાર’ ( સુવર્ણહા૨ ) ઉપાદેય છે. અગ્નિ, સોની વગેરે નિમિત્ત છે અને ‘હાર' નૈમિત્તિક છે. એ જ પ્રમાણે આત્મદ્રવ્ય વા શ્રદ્ધાગુણ ઉપાદાન છે અને સમ્યગ્દર્શન ઉપાદેય છે, મિથ્યાત્વ કર્મનો અભાવ નિમિત્ત છે અને સમ્યગ્દર્શન નૈમિત્તિક છે.
૨૮
Please inform us of any errors on rajesh@AtmaDharma.com