________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુણ્યનું ભલું માનવામાં મૂળ કારણ પુણ્યના ફળ સ્વરૂપે પ્રાપ્ત થતી જે ભોગસામગ્રી તેમાં સુખબુદ્ધિ છે. જ્યાં સુધી ભોગોને સુખરૂપ માનવાનું ચાલુ રહે ત્યાં સુધી પુણ્યમાં ઉપાદેયબુદ્ધિ દૂર થાય નહીં જ્ઞાનાનંદ સ્વભાવી આત્માનો સ્પર્શ થયા વિના ભોગોમાંથી સુખબુદ્ધિ હઠતી નથી જ્ઞાનાનંદ સ્વભાવી આત્માનો અનુભવ જ શુદ્ધ ભાવ છે અને તે શુભાશુભ (પુણ્ય-પાપ) ભાવના અભાવરૂપ જ હોય છે. તેથી સાચા સુખના વાંચ્છક જીવોએ આત્માનુભૂતિરૂપ શુદ્ધ ભાવની પ્રાપ્તિ માટે ઉદ્યમશીલ રહેવું જોઈએ.
પ્રશ્ન:
૧. મુક્તિ-માર્ગમાં પુણ્યનું શું સ્થાન છે? ૨. પુણ્ય અને પાપ કોને કહે છે? ૩. પુણ્ય અને પાપમાં કારણાદિ ભેદોને સ્પષ્ટ કરીને બંનેમાં યુક્તિ સહિત
એકત્વ સ્થાપિત કરો.
૨૬
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com