________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનીતત્ત્વચર્ચા ]
[ ૭૭
કારણ કે આશ્રય દ્રવ્યનો લેવાનો છે, ગુણ-પર્યાયનો નહિ. ગુણ-પર્યાય એવી જાતના જુદા નથી જેવી રીતે રાગથી જુદાપણું છે, બંનેના જુદા-જુદાપણામાં ફેર છે. માટે તે અપેક્ષાએ કીધું હતું કે રાગથી ભેદજ્ઞાન કરવું. તે સ્વભાવ અને વિભાવનું ભેદજ્ઞાન છે અને આ (દ્રવ્ય-પર્યાયના) ભેદજ્ઞાનની અપેક્ષા જુદી છે. ચૈતન્ય પૂર્ણ ઐશ્વર્યશાળી છે તેનો આશ્રય લેવાનો છે, પણ ગુણ કે પર્યાય જે અંશ છે તેનો આશ્રય લેવાનો નથી. દ્રવ્ય ઉપર દષ્ટિ કરતાં દ્રવ્યનો આશ્રય આવે છે અને ગુણપર્યાયના ભેદનો આશ્રય છૂટી જાય છે. ત્યારે સાધકદશા અને બીજું બધું ગૌણ થઈ જાય છે.
જેવી રીતે એક શક્તિશાળી રાજા તેના દુશ્મનથી જુદો તેવી રીતે તેના સંબંધીઓથી જુદો નથી. જોકે રાજા અને તેના સંબંધીઓ બધાં જુદાં જ છે તે છતાં સંબંધીઓ જુદા અને તેના દુશ્મન જુદા તે બંને વચ્ચેની જુદાઈમાં ફેર છે. અહીં ષ્ટિના બળમાં દિષ્ટ બધું જુદું પાડે છે. હું કૃત્યકૃત્ય-પૂર્ણ છું, વિભાવ મારાથી અત્યંત જુદો છે એમ જુદું પાડે છે અને વચ્ચે જે સાધદશાની અધૂરી પર્યાય તથા પૂર્ણ પર્યાય આવે છે તે બધાનું લક્ષ છોડી દે છે. તો પણ જ્ઞાન તેને લક્ષમાં રાખે છે કે આ પર્યાયો છે તે ચૈતન્યની અવસ્થાઓ છે. તેમ જ તે શુદ્ધ પર્યાયો તેના વેદનમાં આવે છે. આમ જ્ઞાન તેનો વિવેક કરે છે. તે અપેક્ષાએ ભેદજ્ઞાન મૂળ રાગથી કરવાનું છે. જ્યારે ગુણ-પર્યાયના ભેદજ્ઞાનમાં એવી જાતનો ભેદ છે કે દૃષ્ટિનો આશ્રય દ્રવ્ય ઉ૫૨ જાય છે, (ગુણ-પર્યાય ઉ૫૨ નહીં) માટે તે બધાનો ભેદ કરવાનો છે.
જેવો ભેદ રાગથી કરવાનો છે તેવો ભેદ ગુણ-પર્યાયથી નથી કરવાનો. ભેદ-ભેદમાં ફેર છે. માટે મૂળ રાગથી ભેદજ્ઞાન કરવાનું છે અને આનો (ગુણપર્યાયનો ) વિવેક કરવાનો રહે છે. જ્ઞાન-દર્શન-ચારિત્ર આદિ બધા ગુણો છે તે ચૈતન્યના એક-એક અંશો અને ચૈતન્ય અખંડ પૂર્ણ શક્તિવાન છે. એક-એક અંશનો આશ્રય લેવાનો નથી, કેમકે તે અંશો છે, માટે તે બધાને ગૌણ કરવાના છે. દૃષ્ટિ તે બધાને કાઢી નાખે છે, નિમિત્ત અપેક્ષાએ જે અધૂરી-પૂર્ણ પર્યાય થઈ તે બધાને પણ દૃષ્ટિ જુદી કરે છે અને હું તો એક પૂર્ણ છું, કૃત્યકૃત્ય છું એમ સ્વીકારે છે.
હું એક, પૂર્ણ છું એમ દૃષ્ટિના બળમાં બધું નીકળી જાય છે. પણ એકાંતે Please inform us of any errors on Rajesh@Atma Dharma.com