SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ૬ ] [ સ્વાનુભૂતિદર્શન પુરુષાર્થ કરીને મને થઈ ગયું એવી કલ્પના કરે તો તે કાંઈ માર્ગ નથી. મંદ કષાયમાં તેને શાંતિ-શાંતિ લાગે, પણ એકત્વબુદ્ધિ તૂટી નથી, અંદરમાંથી જે જુદું ભાસ્યમાન થવું જોઈએ તે થતું નથી, ને જ્ઞાયક હાથમાં આવ્યો નથી તો તેના તરફ જવા માટે યથાર્થ રસ્તો મળ્યો નથી. વિકલ્પ મંદ થઈ જાય એટલે જાણે વિકલ્પ છૂટી ગયા તેવું લાગે પણ અંદર સૂક્ષ્મતાથી જુએ તો વિકલ્પ મંદ પડ્યા હોય છે, તેનાથી છૂટેલો હોતો નથી. આત્માના અસ્તિત્વના ગ્રહણપૂર્વક શાંતિ પ્રગટ થાય, તે તો પ્રગટી નથી અને તેની સાથે જે વિકલ્પ છૂટવા જોઈએ તે તો કાંઈ છૂટયા નથી, તેથી તેના હાથમાં માર્ગ આવ્યો નથી. સાચો આત્માર્થી હોય તે સંતોષાઈ જાય નહીં. કેમકે અંદર આત્મા ભાસ્યમાન થઈને આ આત્મા અને આ મારું સ્વરૂપ એમ આવવું જોઈએ તે આવતું નથી માટે તે સંતોષ પામે નહીં, અટકે નહીં. આ કોઈને દેખાડવાનો માર્ગ નથી એમ તેને અંતરમાંથી આવવું જોઈએ. આત્માર્થીની દષ્ટિ અંદર જ ફર્યા કરે છે, આ તો મારા માટે છે, આ ક્યાં કોઈના માટે છે? અને જો હું રોકાઈ જાઉં તો જન્મ-મરણ ઊભાં જ છે-આમ તે ભવભીરુ છે. પ૮. પ્રશ્ન- હંમેશાં કહેવામાં આવે છે કે રુચિ ખૂબ વધારવી, જ્ઞાનના ઉવાડની બહુ જરૂર નથી. તો રુચિ વૃદ્ધિગત કેમ કરવી ? સમાધાનઃ- પોતે પુરુષાર્થ કરીને કરે તો રુચિ વૃદ્ધિગત થાય. પોતાને કરવાનું રહે છે. તેને બીજે કયાંય વિશ્રાંતિ કે શાંતિ લાગે નહિ તો આત્મા તરફ વળ્યા વિના રહે નહિ. અશુભ ભાવમાં તો વિશ્રાંતિ નથી, પણ શુભભાવોમાં પણ વિશ્રાંતિ નથી, તે આકુળતારૂપ છે એમ કયાંય વિશ્રાંતિ ન લાગે તો વિશ્રામસ્થાન આત્મા છે તેના તરફ વળ્યા વગર રહે નહિ. પણ તે ચારેકોર બહારમાં અટકી જાય છે, એટલે અંદર જતાં તેને મુશ્કેલી પડે છે. મુમુક્ષુ- અનુભવ પહેલાં અંતરમાં બલાત્કારે જવાતું હશે કે સહજપણે જવાય છે? બહેનશ્રી - અંતરમાં બલાત્કારે જવાતું નથી. જ્ઞાનીની સહજદશા છે તેની વાત તો જુદી છે, છતાં જિજ્ઞાસુ પણ કાંઈ પરાણે અંતરમાં જતો નથી. અંદર પોતાને રુચે છે-ગમે છે એટલે જાય છે, તેને પરાણે નથી કરવું પડતું, જિજ્ઞાસુને બહારમાં કયાંય રુચતું નથી એટલે પોતે પોતાના ચૈતન્યને શોધ્યા વગર રહેતો જ Please inform us of any errors on [email protected]
SR No.008316
Book TitleSwanubhutidarshan
Original Sutra AuthorN/A
AuthorChampaben
PublisherJagjivan Bavchand Doshi Parivar Songadh
Publication Year1996
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, Spiritual, & Philosophy
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy