SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા ] [ ૨૧ છે. તે જીવ બધો વિચાર કરી આ જ્ઞાનસ્વભાવ તે જ હું છું તેમ નિર્ણય કરે છે. નિર્ણય કર્યો હોય, પણ અંદરથી જો રુચિ મંદ પડી જાય તો નિર્ણયમાં ફેર પડી જાય છે. પરંતુ જો પુરુષાર્થ, આત્મા તરફની જિજ્ઞાસા-ભાવના-લગની એવી ને એવી હોય તો નિર્ણયમાં ફેર પડતો નથી. દરેક ઠેકાણે પુરુષાર્થ તો હોય જ છે. સમ્યગ્દર્શન પ્રાપ્ત થયા પછી સાધકદશામાં પણ નિરંતર પુરુષાર્થ હોય છે, તો જેને આત્માની રુચિ થઈ તેને પણ પુરુષાર્થ તો સાથે જ હોય છે, જેણે અંત૨માંથી નક્કી કર્યું કે આત્માનું જ કરવા જેવું છે, તેનો નિર્ણય ફરતો નથી. ૨૧. પ્રશ્ન:- સ્વાનુભૂતિના કાળે શું આત્માના દરેક પ્રદેશમાં આનંદનું વેદન થાય છે? સમાધાનઃ- હા, તે કાળે ભેદનું લક્ષ્ય છૂટીને આત્માના દરેક પ્રદેશે આનંદ પ્રગટે છે. તે આનંદ સિદ્ધભગવાનને પૂર્ણ પ્રગટ થયો છે; સમ્યગ્દષ્ટિને અંશે વેદાય છે; છતાં જાત સિદ્ધભગવાન જેવી જ છે. તે આનંદગુણ આત્માના અસંખ્યપ્રદેશમાં વ્યાપેલો છે. તેની અનુભૂતિ થતાં વિકલ્પ છૂટી જાય છે અને જગતથી ન્યારો કોઈ અનુપમ આનંદ થાય છે. તેને જગતની કોઈ ઉપમા લાગુ પડતી નથી. તે આનંદનો ઇન્દ્રની પદવીના, ચક્રવર્તીની પદવીના કે બીજા કોઈ આનંદની સાથે મેળ ખાતો નથી. તે બહારના આનંદ તો લૌકિક રાગવાળા છે જ્યારે આ વીતરાગી આનંદ તો જુદો જ છે, તેનો કોઈની સાથે મેળ નથી. તે આનંદ વચનાતીત છે. જ્ઞાયકની મહિમા આવે, તેમાં સર્વસ્વતા લાગે, તેની રુચિ-શ્રદ્ધા થાય તો જીવ તે તરફ વળે છે, તે વિના વળી શકતો નથી. બહારમાં જ જેણે સર્વસ્વ માની લીધું છે અર્થાત્ થોડી ક્રિયા ને શુભભાવ કરીને તેમાં સર્વસ્વ માની લે છે તેને આત્માની પ્રાપ્તિ (સમ્યગ્દર્શન-સ્વાનુભૂતિ) થતી નથી. અશુભથી બચવા શુભભાવ વચ્ચે આવે તેનાથી પુણ્ય બંધાય. પણ આત્મા તે બંનેથી ન્યારો છે તેવી શ્રદ્ધા થવી જોઈએ; અને શ્રદ્ધા થાય તો તે તરફ વળે. અનંતકાળથી તેણે બધું કર્યું પણ આત્માનું સ્વરૂપ ઓળખ્યું નથી, તે બધે ભમ્યો, બધું કંઠાગ્રે કર્યું પણ આત્માને ઓળખ્યો નથી; આત્માને ઓળખ્યા વગર ભવનો અભાવ થતો નથી. ૨૨. પ્રશ્ન:- આત્મા સ્વરૂપાનંદમાં રમી રહ્યો હતો, આનંદ તરંગોમાં ડોલી રહ્યો હતો તેમાં આપને શું કહેવું છે? અતીન્દ્રિય આનંદમાં શું સંવેદન થતું હશે ? Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
SR No.008316
Book TitleSwanubhutidarshan
Original Sutra AuthorN/A
AuthorChampaben
PublisherJagjivan Bavchand Doshi Parivar Songadh
Publication Year1996
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, Spiritual, & Philosophy
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy