________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬ ]
[સ્વાનુભૂતિદર્શન આ ભવમાં બધી તૈયારી કરી લેવી અને પુરુષાર્થ કરવો. ગુરુદેવની દેશનાલબ્ધિ મળી છે તો એવાં ઊંડા બીજડાં નાખવાં કે તરત ફાલી જાય. ૧૫. પ્રશ્ન- જ્ઞાતાધારા દ્રવ્યના આશ્રયે પ્રગટ થાય, તો તે “આશ્રય” નો ભાવ શું છે તે કૃપા કરી સમજાવશો. સમાધાનઃ- આશ્રય એટલે પોતાના ચૈતન્યનું અસ્તિત્વ ગ્રહણ કરવું. આ ચૈતન્ય હું છું, આ વિભાવાદિ હું નથી, એમ પોતાના અસ્તિત્વને ગ્રહણ કરીને તેમાં સ્થિર ઊભા રહેવું. વિભાવથી દષ્ટિ ઉઠાવી ચૈતન્યમય જ્ઞાયકનું જે અસ્તિત્વ છે તે જ હું
છું એમ પોતાના જ્ઞાનસ્વભાવને ગ્રહણ કરે. આ વિભાવની સાથે જે જ્ઞાન છે તે વિભાવમિશ્રિત જ્ઞાન હું નહિ, પણ એકલું જે જ્ઞાન છે તેને જ્ઞાનલક્ષણ દ્વારા ગ્રહણ કરે. જ્ઞાનથી ભરેલું ચૈતન્ય દ્રવ્ય તે જ હું છું એમ પોતાના અસ્તિત્વને ગ્રહણ કરી, તેમાં દષ્ટિને સ્થાપે અને તેમાં લીનતા કરે. આ રીતે તેનું આલંબન દ્રવ્ય જ છે, બીજું કોઈ નથી. ભગવાન અને ગુરુદેવે બતાવ્યું છે કે જે કોઈ મોક્ષે ગયા છે તે બધા આ એક જ ઉપાય ગયા છે, બીજો કોઈ ઉપાય નથી. વિભાવની પરિણતિ બહારમાં જાય તો વારંવાર ચૈતન્યનું અસ્તિત્વ ગ્રહણ કરે, કે જ્ઞાયક તે હું.
જ્ઞાનગુણ એવો અસાધારણ છે કે તે લક્ષમાં–ખ્યાલ આવે છે. બીજા કેટલાક ગુણો પણ અસાધારણ છે, પરંતુ તે ખ્યાલમાં આવતા નથી. તેથી જ્ઞાન લક્ષણ મુખ્ય છે. બીજા પદાર્થમાં જાણવાનું લક્ષણ નથી, જાણવાનું લક્ષણ એક આત્મામાં છે. તેથી જાણવાના લક્ષણ ઉપરથી પોતાનું અસ્તિત્વ ગ્રહણ કરે કે આ જાણવાનું જે લક્ષણ છે તે લક્ષણવાળો હું ચૈતન્ય છું. તે જ્ઞાનની સાથે જીવમાં અનંતગુણ પણ છે તેથી જ્ઞાનગુણથી આખો આત્મા ગ્રહણ કરે. આનંદગુણસુખગુણ પણ તેમાં છે, પણ તે આનંદ એવો વિશેષગુણ નથી કે જેથી દ્રવ્ય પકડાય. જ્ઞાન જ એવો વિશેષ અસાધારણ સ્વભાવ છે કે તેનાથી આત્મા ગ્રહણ થઈ શકે છે. આ બહારનું જાણું, આ જ્ઞયને જાણું, આ જાણું તે જ્ઞાન એમ નહિ પણ તે જ્ઞાન ક્યાંથી આવે છે? તે જ્ઞાનનો ધરનારો કોણ છે? જ્ઞાનનું અસ્તિત્વ કયા દ્રવ્યમાં રહેલું છે? એમ તે દ્રવ્યને ગ્રહણ કરે. યાશ્રિત જ્ઞાન હું નહિ, પરંતુ હું સ્વયં જ્ઞાનસ્વરૂપ છું, જ્ઞાનનો ધરનારો ચૈતન્ય છું એમ તેને ગ્રહણ કરવો. ૧૬. પ્રશ્ન- સ્વાનુભૂતિનું અંતરંગ સ્વરૂપ કેવું હોય? સમાઘાન - તે અંતરંગ સ્વરૂપ વાણીમાં (પૂરું) આવતું નથી. વિકલ્પ છૂટીને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com