SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા ] [ ર૬૭ મુમુક્ષુ- આ કાળે ધ્યાનની-જ્ઞાનની આપની સાધના સર્વોત્કૃષ્ટ છે. ભરતક્ષેત્રમાં આ૫ તો આરાધનાની દેવી છો એમ પૂજ્ય ગુરુદેવશ્રીના ઉદ્ગારો છે. આપના જ્ઞાન કાર્યક્રમ વિષે હજી વિશેષ પ્રકાશ કરવાની નમ્ર પ્રાર્થના છે. બહેનશ્રી - કાર્યક્રમ શું? “આત્માનો કાર્યક્રમ આત્મા.” તેની સાધનારૂપે પરિણતિ પરિણમે તે કાર્યક્રમ. બહારથી બહારનો કાર્યક્રમ દેખાય, અંતરમાં શું હોય તે કોણ સમજી શકે? શાસ્ત્રમાં આવે છે ને? કે અંતરના કર્તા-કર્મ-ક્રિયા બધું અંતરમાં છે ને બહારનાં કર્તા-કર્મ બહારમાં છે. પુદ્ગલની ક્રિયા આત્મામાં નથી અને આત્માની ક્રિયા પુદ્ગલમાં નથી બંનેને અત્યંત ભેદ છે. બહારથી કોઈ જોવા માગે તો એ અંતરનો કાર્યક્રમ બહારથી જોવામાં આવતો નથી. અંતરનો કાર્યક્રમ અંદરમાં હોય છે, બહારનું બધું બહારમાં હોય છે? આત્માની જે વિધિ હોય તેનો કાર્યક્રમ અંતરમાં હોય છે. સાધકોની વિધિનો કાર્યક્રમ અંતરમાં હોય છે. શરીરનાં જે કાર્યો થાય છે તે બહારનો કાર્યક્રમ છે, શુભભાવની જે ક્રિયા છે તે શુભભાવ પણ બહારથી દેખાવા યોગ્ય બહારનો કાર્યક્રમ છે. ભેદજ્ઞાનની પરિણતિનાં કાર્યો અંતરમાં ચાલે છે. એટલે કે સાધ્ય સાધકભાવનો કાર્યક્રમ અંતરમાં થાય છે અને તે તો ક્ષણે ક્ષણે ચાલતો જ હોય છે. તેમાં આ ટાઈમે આ કરવું અને આ ટાઈમે આમ કરવું એવું હોતું નથી. દષ્ટિ અને જ્ઞાનની પરિણતિનો કાર્યક્રમ સદાને માટે ચાલતો હોય છે, તેમાં ખંડ હોતો જ નથી. તે કાર્યક્રમ સદાને માટે ધારાવાહી હોય જ છે. જે સદાય ચાલુ જ છે તેને કાર્યક્રમ શું કહેવો? તે તો સદાને માટે હોય જ છે. તેમાં નવીન કરવાનું નથી, તે તો નિરંતર ચાલે જ છે. સાધકનો કાર્યક્રમ–ભેદજ્ઞાનની પરિણતિનો ને સ્વાનુભૂતિનો કાર્યક્રમ તો સદાને માટે હોય જ છે, શુદ્ધાત્માની શુદ્ધ પર્યાયો-નિર્મળ પર્યાયો પ્રગટ થાય જ છે. તો પછી તેને માટે “કાર્યક્રમ” એમ શું કહેવું? તે તો સદાનો જ છે. જે કાર્ય થતું હોય તેમાંથી બીજું કાર્ય થાય તો કાર્યક્રમ કહેવાય-કે આટલું કાર્ય અત્યારે, આટલું કાર્ય પછી ને આટલો કાર્યક્રમ આમ કરવો. પણ જે સદાયનું છે તેને “કાર્યક્રમનું નામ શું આપવું? અંતરમાં પુરુષાર્થની પરિણતિની સહજ ગતિ ચાલતી જ હોય છે. બહારનાં Please inform us of any errors on [email protected]
SR No.008316
Book TitleSwanubhutidarshan
Original Sutra AuthorN/A
AuthorChampaben
PublisherJagjivan Bavchand Doshi Parivar Songadh
Publication Year1996
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, Spiritual, & Philosophy
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy