SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates [ સ્વાનુભૂતિદર્શન ૨૩૪ ] દઢ કરના. જ્ઞાયકકી પરિણતિ દઢ કરનેસે ભેદજ્ઞાન હોતા હૈ. ૪૨૩. પ્રશ્ન:- મૈં જ્ઞાયક હું, જ્ઞાયક હું ઐસા બહોત ગોખતા હૂં. સમાધાનઃ- ઐસા ભીતરમેંસે કરના, ગોખનેસે ભાવનારૂપ (શુભ વિકલ્પ) હોતા હૈ. વહુ વિકલ્પ મેં નહીં હૂં, મેં શાયક નિર્વિકલ્પ તત્ત્વ હૂં, ઐસા ભીતરમેંસે જ્ઞાયકકા બલ પ્રગટ કરના. વિકલ્પસે ભેદજ્ઞાન કરના. ૪૨૪. પ્રશ્ન:- જેમ સ્વભાવને ગ્રહ્મ કરવાનો અભ્યાસ વધતો જાય તેમ એમાં શું બળ આવતું હશે ? સમાધાનઃ- તેને અભ્યાસ અંતરમાંથી થવો જોઈએ. અંતરમાંથી અભ્યાસ થાય તો બળ આવે. અભ્યાસ થતાં તેની મેળાએ જ તેને દઢતા આવી જાય કે રસ્તો આ જ છે. ગમે તેવા ઊંચા વિકલ્પ હોય, તે વિકલ્પ જ છે. તેનાથી મારો સ્વભાવ જુદો છે. બધા વિકલ્પ આકુળતારૂપ છે, શુભ વિચારો તો વચ્ચે આવે છે, પણ મારું જે નિરાળું અસ્તિત્વ છે તે જુદું જ છે, એમ પોતાને ગ્રહણ થવું જોઈએ. ૪૨૫. પ્રશ્નઃ- હું સામાન્ય દ્રવ્ય છું એમાં શું બધું આવી જાય ? સમાધાનઃ- હું સામાન્ય દ્રવ્ય છું એમાં બધું આવી જાય; પણ તેથી શું? સ્વભાવ ગ્રહણ થવો જોઈએ ને ? સામાન્યરૂપે હું છું, હું છું એમ આવે. પણ હું કોણ છું? કયા સ્વભાવે છું? મારું સ્વરૂપ શું છે? એ ગ્રહણ થવું જોઈએ. અનાદિથી શરીરમાં પોતાનું અસ્તિત્વ માન્યું છે; પણ શરીર તો સ્થૂલ છે. એનાથી આગળ જાય તો વિકલ્પમાં પોતાનું અસ્તિત્વ માને છે; પણ મારું જ્ઞાયકપણું જુદું જ છે એમ માનતો નથી. ક્ષણે ક્ષણે પર્યાયો થાય તેમાં પોતાનું અસ્તિત્વ માન્યું છે, પણ હું તો શાશ્વત ટકનારો છું એમ સ્વભાવ ગ્રહણ થવો જોઈએ. એને માટે એટલી તેની લગની હોય, અંતરમાંથી મહિમા લાગે, ઊંડો જઈને પુરુષાર્થ કરે તો ગ્રહણ થાય. ધીમે કરે કે જલદી કરે પણ કરવાનું એક જ છે. તે ન થાય ત્યાં સુધી તેની જિજ્ઞાસા, તત્ત્વના વિચારો, દેવ-શાસ્ત્ર-ગુરુની મહિમા, શ્રુતનું, ચિંતવન કર્યા કરે, પણ કરવાનું એક જ છે. બહારના જીવો કયાંય પડયા છે. ગુરુદેવે માર્ગ બતાવ્યો છે કે અંત૨માં કરવાનું છે. ૪ર૬. પ્રશ્ન:- સ્વાનુભૂતિમાં ઉપયોગ છે તે પ્રમાણસ્વરૂપ છે કે નયસ્વરૂપ ? સમાધાનઃ- સ્વાનુભૂતિમાં ઉપયોગ પ્રમાણસ્વરૂપ છે, અને તે સહજરૂપે છે. દષ્ટિ Please inform us of any errors on [email protected]
SR No.008316
Book TitleSwanubhutidarshan
Original Sutra AuthorN/A
AuthorChampaben
PublisherJagjivan Bavchand Doshi Parivar Songadh
Publication Year1996
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, Spiritual, & Philosophy
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy