________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૬ ]
[સ્વાનુભૂતિદર્શન બહેનશ્રી - હા, પુરુષાર્થની ઉગ્રતા થાય તો આગળ જાય છે ને પુરુષાર્થની મંદતા હોય તો ત્યાં ઊભો રહે છે, પણ કળ સૂઝવાની કે માર્ગની કોઈ મૂંઝવણ નથી. જ્ઞાની ગૃહસ્થાશ્રમમાં ઊભો છે તે પુરુષાર્થની મંદતાથી ઊભો છે, છતાં ગૃહસ્થાશ્રમમાં અમુક જાતનો પુરુષાર્થ થયા જ કરે છે, કેમકે કળ તેના હાથમાં છે, હવે કળ સૂઝવાની બાકી નથી. તેને જો ઉગ્ર પુરુષાર્થ થાય તો નિર્મળતાના ઢગલા થાય છે. તેના હાથમાં એવું કલ્પવૃક્ષ આવ્યું છે કે તેમાં પુરુષાર્થની ધારા વધે તો ધનના (નિર્મળતાના) ઢગલા થાય અને તે તેના હાથની વાત છે. કેટલું આગળ જાવું તે પોતાના હાથની વાત છે. કોઈને મતિજ્ઞાનની નિર્મળતા, કોઈને શ્રુતજ્ઞાનની નિર્મળતા, કોઈને અવધિજ્ઞાનની નિર્મળતા, કોઈને મન-પર્યયજ્ઞાનની નિર્મળતા એમ અનેક જાતની ઋદ્ધિઓ પ્રગટે છે. અનેક જાતની નિર્મળતા અંદરમાં છે તે બધી બધાને પ્રગટે જ તેમ હોતું નથી. કોઈને આવી નિર્મળતા ન પ્રગટે અને એક ચારિત્રદશા પ્રગટે તો તેમાંથી કેવળજ્ઞાન થઈ જાય છે. કોઈ કોઈ સાધકને વચ્ચે બધું આવે છે. જેમ ધન રળે અને ઢગલા થાય તેમ અનેક જાતની ઋદ્ધિઓ પ્રગટે છે. ૩૬૯. પ્રશ્ન- સમકિતીને પણ પુરુષાર્થની જરૂરિયાત લાગે છે? સમાધાનઃ- હા, તેને પુરુષાર્થની જરૂરિયાત લાગે છે. જિજ્ઞાસુની ભૂમિકામાં પણ (સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવા માટે) પુરુષાર્થની જરૂરિયાત લાગે છે અને સમ્યગ્દર્શન પ્રાપ્ત થયા પછી પણ પુરુષાર્થની જરૂરિયાત પૂરેપૂરી લાગે છે. તેણે બધી રીતે એક આત્માને સર્વસ્વ જાણ્યો છે ને શ્રદ્ધામાં નવ-નવ કોટિએ એક આત્માને ગ્રહણ કર્યો છે તેથી બીજું બધું શ્રદ્ધામાંથી નીકળી ગયું છે છતાં હજી પુરુષાર્થની મંદતાથી શ્રદ્ધા ને ચારિત્રમાં ફેર છે અને તેથી તેને પણ પુરુષાર્થની જરૂરિયાત છે, મુખ્યતા પુરુષાર્થની છે. સમકિતીને પુરુષાર્થની જરૂરિયાત લાગવા છતાં પુરુષાર્થમાં મંદતા છે, ચારિત્રની અપેક્ષાએ પુરુષાર્થની મંદતા કહેવાય, જોકે શ્રદ્ધાની અપેક્ષાએ આત્માને બરાબર ગ્રહણ કર્યો છે ને એક ક્ષણમાં જો કેવળજ્ઞાન થતું હોય તો મારે બીજું કાંઈ જોઈતું નથી એવી ઉગ્રતા પણ અંદર પરિણતિમાં છે, છતાં પણ પુરુષાર્થની મંદતા છે. પોતે ગૃહસ્થાશ્રમમાં રહીને પછી મુનિદશા અંગીકાર કરે છે પણ તેમાં પુરુષાર્થની મંદતા છે છતાં પુરુષાર્થની જરૂરિયાત લાગી નથી તેવો અર્થ ત્યાં થાય નહિ. તેની દષ્ટિ આખી પલટો ખાઈ ગઈ છે, પોતા તરફ ચાલી ગઈ છે. તેની
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com