SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા ] [ ૨૦૫ ધન મળવું તે પુણાધીન છે. ધન મળવું તે પોતાના હાથની વાત નથી. પણ આ પુરુષાર્થ તો પોતાના સ્વભાવમાંથી પ્રગટે છે. સ્વભાવ ઉપર દષ્ટિ મૂકી અસ્તિત્વને ગ્રહણ કરે એટલે કે અનંતગુણ ઋદ્ધિથી ભરપૂર આત્મામાં જાય તો આત્મામાં જે ભર્યું છે તે દર્શન, જ્ઞાન અને લીનતા પ્રગટ થાય, જ્ઞાન-દર્શન-ચારિત્ર આદિ અનેક ગુણની નિર્મળતા પ્રગટે. જેમ ધન રળે ને ઢગલા થાય તેમ આત્માની અનેક જાતની નિર્મળતાઓ પુરુષાર્થ કરે તો પ્રગટ થાય. જેને કળ સૂઝી ને આત્મા હાથ આવી ગયો તેને આત્મામાંથી અનંતગુણની નિર્મળતાઓ પ્રગટ થાય છે, સ્વથી એકત્વ અને પરથી વિભક્ત એવી પરિણતિ અંતરમાં પ્રગટ થાય છે. પોતાને દષ્ટિનું જોર છે ને ભેદજ્ઞાનની ધારા છે તો કોઈવાર વિશેષ પુરુષાર્થ કરતા ધન રળે અને ઢગલા થાય તેના જેવું થાય. ૩૬૮. પ્રશ્ન:- પરિણતિ વિશેષ થાય એટલે કળ હાથમાં આવી જાય ? સમાધાન:- પરિણતિ વિશેષ થાય ત્યારે કળ હાથમાં આવે તેમ નહિ, સમ્યગ્દર્શન થયું ત્યાં જ કળ હાથમાં આવી જાય છે. મુક્તિનો માર્ગ પ્રગટ થયો, સ્વાનુભૂતિ પ્રગટ થઈ ત્યાં જ કળ હાથમાં આવી ગઈ. આત્માનું અસ્તિત્વ ગ્રહણ કર્યું, મુક્તિના માર્ગે ચાલ્યો અને સ્વરૂપની દ્વારા પ્રગટ થઈ તે કળ છે. પછી તેમાં અમુક જાતની નિર્મળતાઓ યથાયોગ્ય પ્રગટે છે. જ્ઞાન-દર્શન પ્રગટ થતાં કેટલીક સ્વરૂપ-રમણતા પ્રગટે છે, પછી આગળ જાય એટલે ભૂમિકા વધી જાય તેનો ચારિત્ર સાથે સંબંધ છે. ચારિત્રદશા તે કેવળજ્ઞાનને લાવનારી છે. ચારિત્રદશામાં અનેક જાતની વિભૂતિઓ પ્રગટે છે. જેને મુક્તિનો માર્ગ હાથમાં આવી ગયો છે, જેણે પોતાનું અસ્તિત્વ ગ્રહણ કર્યું છે, તેને જ્ઞાયકની ધારા પ્રગટ થઈ ગઈ છે. પછી જ્ઞાયકની ધારામાં આગળ પુરુષાર્થ થવામાં તેની વિરક્તિ વધતી જાય છે કારણ છે, પણ બીજું કોઈ કારણ નથી. કળ સૂઝવામાં સમ્યગ્દર્શનની વાત છે. સમ્યગ્દર્શન થતાં હવે તેને કોઈ કળ સૂઝવાની બાકી નથી. જેને મુક્તિનો માર્ગ પ્રગટ થયો તેને કળ સૂઝી જ જાય છે. ચારિત્રદશા તો સહજ છે. જોકે જ્ઞાતાધારાની ઉગ્રતા થવી તે તો તેના પુરુષાર્થ ઉપર છે, પણ હવે બીજી કોઈ કળ સૂઝે તો તે આગળ જાય એવું નથી. તેને કોઈ જાતની માર્ગની મૂંઝવણ નથી. મુમુક્ષુ- પુરુષાર્થની ઉગ્રતા થાય તો આગળ જાય? Please inform us of any errors on [email protected]
SR No.008316
Book TitleSwanubhutidarshan
Original Sutra AuthorN/A
AuthorChampaben
PublisherJagjivan Bavchand Doshi Parivar Songadh
Publication Year1996
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, Spiritual, & Philosophy
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy