SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ૧૭૪ ] [સ્વાનુભૂતિદર્શન છે ને દ્રવ્યનો આશ્રય હોય છે. એમ પોતે વિચાર કરીને, નક્કી કરીને પછી તે રૂપે પુરુષાર્થ કરે. ૩૦૫. પ્રશ્ન:- સાધક અને જિજ્ઞાસાવાળા માટે માર્ગ એક જ છે? સમાધાનઃ- સાધકને માટે અને જિજ્ઞાસુને માટે એક જ માર્ગ છે. જિજ્ઞાસુએ પણ ધ્યેય એક રાખવાનું. આત્માર્થીને ધ્યેય એક જ હોવું જોઈએ કે કેવી રીતે સમ્યગ્દર્શન પ્રગટ થાય? સમ્યગ્દષ્ટિને આત્માનો આશ્રય હોય તે મને કેમ પ્રગટ થાય ? એવી જાતની ભાવના–જિજ્ઞાસા કરે. બધાંને એક જ માર્ગે જવાનું છે. જિજ્ઞાસુને પણ તે જ કરવાનું છે કે ભવનો અભાવ કેમ થાય? સમ્યગ્દર્શન કેમ થાય? તે ન થાય ત્યાં સુધી અશુભ ભાવથી બચવા માટે શુભ ભાવમાં દેવશાસ્ત્ર-ગુરુની મહિમા લાવે, શાસ્ત્રનો અભ્યાસ કરે, પણ ધ્યેય એક જ રાખે કે સમ્યગ્દર્શન કેમ પ્રગટ થાય ? આત્માનો આશ્રય કેમ પ્રગટ થાય ? ભવનો અભાવ કેમ થાય ? ધ્યેય એક જ હોવું જોઈએ. શુભ ભાવથી પુણ્ય બંધાય, પણ એવો પુણ્યનો હેતુ તેને ન હોય. ભવનો અભાવ કેમ થાય ? આત્માનો આશ્રય કેમ પ્રગટ થાય ? શુદ્ધાત્મા કેમ પ્રગટ થાય ? એવો જ જિજ્ઞાસુનો હતુ હોવો જોઈએ. ૩૦૬. પ્રશ્ન:- રાગ અને જ્ઞાન જુદાં છે એટલું જાણે તો પૂરતું થઈ રહે? કે દ્રવ્ય અને પર્યાયનું ભેદજ્ઞાન કરવું જ પડે ? સમાધાનઃ- રાગ અને જ્ઞાન જુદાં છે, કારણ કે જ્ઞાયકભાવ પોતાનો સ્વભાવ છે અને રાગ છે તે પોતાનો સ્વભાવ નથી, વિભાવ છે; જ્યારે પર્યાય છે તે કોઈ અપેક્ષાએ પોતાની છે. તે પર્યાય કથંચિત ભિન્ન છે અને કથંચિત્ અભિન્ન છે. તેનું સ્વરૂપ જેમ છે તેમ જાણવું. તે દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણે ખરો, પણ પર્યાયની કોટિને પર્યાય રીતે જાણે અને વિભાવથી જે રીતે ભિન્નતા છે તે રીતે ભિન્નતા જાણે. તે વિભાવને સર્વથા ભિન્ન જાણે કે આ મારો સ્વભાવ નથી. અને પર્યાયનું જેવું કથંચિત્ ભિન્ન અને અભિન્ન સ્વરૂપ તેવું જાણે. તેના પ્રયત્નમાં જેવા વિભાવ અને સ્વભાવના ભાગલા પાડે છે એવી જાતના સર્વથા ભાગલા પર્યાય સાથે નથી પાડતો. તેના જ્ઞાનમાં તે પર્યાયને જાણે છે અને દ્રવ્યને મુખ્ય કરે છે, ને પર્યાયને ગૌણ કરે છે; પણ પર્યાય સર્વથા ભિન્ન છે એવી જાતનું ભેદજ્ઞાન તેમાં આવતું નથી. તે પર્યાયને ગૌણ કરે છે, ને દ્રવ્યને મુખ્ય કરે છે, જેવો વિભાવ અને સ્વભાવનો ભેદ પડે છે, તેવો પર્યાય અને સ્વભાવનો ભેદ નથી પડતો, કેમકે Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
SR No.008316
Book TitleSwanubhutidarshan
Original Sutra AuthorN/A
AuthorChampaben
PublisherJagjivan Bavchand Doshi Parivar Songadh
Publication Year1996
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, Spiritual, & Philosophy
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy