SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા ] [૧૬૧ પ્રશ્ન- વિકલ્પ કેમ ટળે ? સમાઘાન - પોતાની ઘણી તૈયારી હોય ત્યારે વિકલ્પ ટળે છે. અનાદિકાળથી એકત્વબુદ્ધિનો અભ્યાસ છે, શરીર તરફ એકત્વબુદ્ધિ છે. ક્ષણે ક્ષણે શરીર તે હું ને હું તે શરીર, વિભાવ તે હું ને હું તે વિભાવ એવી એકત્વબુદ્ધિ છે. તે એકત્વબુદ્ધિ તૂટે અને સ્વભાવની મહિમા આવે, હું તો એક જ્ઞાયક છું એમ સ્વભાવની લગની લાગે, અંદરથી તાલાવેલી જાગે તો વિભાવનો રસ નીતરી જાય-ઊતરી જાય. જોકે પછી અમુક વિભાવ ઊભો રહે છે, પણ તેનો બધોય રસ ઊતરી જાય છે, અને પોતાના સ્વભાવની મહિમા-પ્રેમ વિના કયાંય રુચે નહિ, એટલી તૈયારી થાય ત્યારે જ્ઞાયકની દષ્ટિ કરે. જ્ઞાયકની દષ્ટિ કયારે થાય? સ્વભાવની મહિમા આવ્યા વિના અને વિભાવનો રસ ઊતર્યા વગર જ્ઞાયકની દષ્ટિ થતી નથી. બહારમાં દષ્ટિ જાય છે, તે બધો રસ ઊતરી જાય અને સ્વભાવની મહિમા આવે તો વિભાવનો રસ નીતરી જાય. સ્વભાવની લગની લાગે તો વિભાવનો રસ ઊતરે, અને વિભાવનો રસ ઊતરે તો સ્વભાવની દષ્ટિ થાય અને વિકલ્પ છૂટે. ૨૭૩. પ્રશ્ન- શરૂઆત તો વિકલ્પથી કરવી પડે ને ? સમાધાન - હું શુદ્ધ છું, જ્ઞાયક છું એમ શરૂઆતમાં વિકલ્પ થયા કરે. પણ વિકલ્પની પાછળ નિર્વિકલ્પ તત્ત્વ છે એમ તેનું ધ્યેય હોવું જોઈએ. ( વિકલ્પ વચ્ચે આવે છે.) છતાં વિકલ્પમાત્રથી નથી થતું, હું તો નિર્વિકલ્પ તત્ત્વ છું એવું ધ્યેય હોવું જોઈએ. જ્ઞાયક છું એવા વિકલ્પ આવે તે હું નથી, હું તો નિર્વિકલ્પતાથી ને આનંદ આદિ ગુણોથી ભરેલો જ્ઞાયક છું અને તે ધ્યેય હોવું જોઈએ. વિકલ્પમાત્ર કરવાથી મેં બધું કરી લીધું એવી દષ્ટિ ન હોવી જોઈએ, હજી ઊંડ પહોંચવાનું બાકી જ છે. ર૭૪. પ્રશ્ન- પૂજા-પાઠ કરવાથી સંસારનો રસ ઓછો થતો જાય ? સમાધાન- એમ નથી. અંતરમાં ભગવાન જિનેન્દ્રદેવની મહિમા આવે, ભગવાને વીતરાગતા પ્રગટ કરી એવી વીતરાગતા મારામાં પણ છે એમ વીતરાગતાની મહિમા આવે ને તેનો રસ લાગે તો સંસારનો રસ ઓછો થાય. બાકી તો પૂજાપાઠ રૂઢિગત કરે તો તેનાથી રસ ઓછો નથી થતો. પોતાને વીતરાગતાની મહિમા આવે તો રસ ઓછો થાય. ભગવાન નિષ્ક્રિયપણે પોતામાં ઠરી ગયા છે! અહો પ્રભુ! આપે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008316
Book TitleSwanubhutidarshan
Original Sutra AuthorN/A
AuthorChampaben
PublisherJagjivan Bavchand Doshi Parivar Songadh
Publication Year1996
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, Spiritual, & Philosophy
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy