________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પૂજ્ય બહેનશ્રીના નિત્યક્રમની પ્રાર્થનાના ભક્તિપદો
સુખધામ અનંત સુસંત ચહી, દિનરાત્ર રહે તધ્યાન મહી; પ્રશાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે વરતે જય તે.
કાયાની વિસારી માયા, સ્વરૂપે સમાયા એવા, નિગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે.
સંગત્યાગી અંગત્યાગી, વચનતરંગત્યાગી, મનત્યાગી, બુદ્ધિત્યાગી, આપા શુદ્ધ કીનો હૈ.
પાવન મધુર અદભૂત અહો ! ગુરૂદનથી અમૃત ઝર્યા, શ્રવણો મળ્યાં સદ્ભાગ્યથી નિત્યે અહો! ચિદ્રસ ભર્યાં. ગુરુદેવ તારણહારથી આત્માર્થી ભવસાગર તર્યા, ગુણમૂર્તિના ગુણગણતણાં સ્મરણો Æયમાં રમી રહ્યાં,
દ્રવ્ય સકળની સ્વતંત્રતા જગ માંહિ ગજાવનહારા વીરકથિત સ્વાત્માનુભૂતિનો પંથ પ્રકાશનહારા ગુરુજી જન્મ તમારો રે જગતને આનંદ કરનારો.
સ્વર્ણપુરે ધર્માયતનો સૌ ગુરુગુણકીર્તન ગાતાં; સ્થળ-સ્થળમાં “ભગવાન આત્મ'ના ભણકારા સંભળાતાં,
-કણ કણ પુરુષારથ પ્રેરે
ગુરુજી આત્મ અજવાળે
* * હું એક, શુદ્ધ, સદા અરૂપી, જ્ઞાનદર્શનમય ખરે; કંઈ અન્ય તે મારું જરી, પરમાણુમાત્ર નથી અરે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com