________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
નિર્જરાનુપ્રેક્ષા ]
[ પ૭ यः पुनः विषयविरक्तः आत्मानं सर्वदा अपि संवृणोति। मनोहर विषयेभ्यः तस्य स्फुटं संवरः भवति।।१०१।।
અર્થ- જે મુનિ ઇંદ્રિયોના વિષયોથી વિરક્ત થયો થકો મનને પ્યારા જે વિષયો તેમનાથી આત્માને સદાય નિશ્ચયથી સંવરરૂપ કરે છે તેને પ્રગટપણે સંવર થાય છે.
ભાવાર્થ- મનને ઇંદ્રિય-વિષયોથી રોકી, પોતાના શુદ્ધ સ્વરૂપમાં રમાડે તેને સંવર થાય છે.
(દોહરો) ગુતિ સમિતિ વૃષ ભાવના, જયન પરીષહકાર; ચારિત ધારે સંગ તજી, સો મુનિ સંવરધાર.
ઇતિ સંવરાનુપ્રેક્ષા સમાપ્ત.
* * *
૯. નિર્જરાનુપ્રેક્ષા હવે નિર્જરાનુપ્રેક્ષાનું વર્ણન કરે છે. बारसविहेण तवसा णियाणरहियस्स णिज्जरा होदि। वेरग्गभावणादो णिरहंकारस्स णाणिस्स।।१०२।। द्वादशविधेन तपसा निदानरहितस्य निर्जरा भवति। वैराग्यभावनातः निरहंकारस्य ज्ञानिनः।। १०२।।
અર્થ- જ્ઞાની પુરુષને બાર પ્રકારના તપથી કર્મોની નિર્જરા થાય છે. કેવા જ્ઞાનીને થાય છે? જે નિદાન અર્થાત્ ઇંદ્રિયવિષયોની વાંચ્છા રહિત હોય તથા અહંકાર-અભિમાનથી રહિત હોય તેને, વળી શા વડે નિર્જરા થાય છે? વૈરાગ્યભાવનાથી અર્થાત્ સંસાર-દેહ-ભોગ પ્રત્યે વિરક્ત પરિણામોથી થાય છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com