________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અશુચિતાનુપ્રેક્ષા ]
| [૪૭ ભિન્ન જાણી આત્મસ્વરૂપને સેવે છે–ધ્યાવે છે તેને આ અન્યત્વભાવના કાર્યકારી છે.
ભાવાર્થ- જે દેહાદિ પરદ્રવ્યોને ન્યારાં જાણી પોતાના સ્વરૂપનું સેવન કરે છે તેને આ અન્યત્વભાવના કાર્યકારી છે.
(દોહરો) નિજ આતમથી ભિન્ન પર, જાણે જે નર દક્ષ; નિજમાં રમે હમે અપર, તે શિવ લખે પ્રત્યક્ષ.
ઈતિ અન્યત્યાનુપ્રેક્ષા સમાપ્ત.
*
*
*
૬. અશુચિ–ાનુપ્રેક્ષા सयलकुहियाण पिंडं किमिकुलकलियं अउव्वदुग्गंधं । मलमुत्ताण य गेहं देहं जाणेहि असुइमयं ।। ८३।।
सकलकुथितानां पिण्डं कृमिकुलकलितं अपूर्वदुर्गन्धं । मलमूत्राणां च गृहं देहं जानीहि अशुचिमयम्।। ८३।।
અર્થ - હે ભવ્ય? તું આ દેહને અપવિત્રમય જાણ! કેવો છે એ દેહ? સઘળી કુત્સિત અર્થાત નિંદનીય વસ્તુઓનો પિંડ- સમુદાય છે. વળી તે કેવો છે? કૃમિ અર્થાત્ ઉદરના જીવ જે કીડા તથા નિગોદિયા જીવોથી ભરેલો છે, અત્યંત દુર્ગન્ધમય છે તથા મળ-મૂત્રનું ઘર છે.
ભાવાર્થ- આ દેહને સર્વ અપવિત્ર વસ્તુઓના સમૂહરૂપ જાણ.
હવે કહે છે કે-આ દેહ અન્ય સુગંધિત વસ્તુઓને પણ પોતાના સંયોગથી દુર્ગન્ધમય કરે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com