________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪]
[ સ્વામિકાર્તિકયાનુપ્રેક્ષા અને સોમભૂત બને ભાઈ મરીને આ વસંતતિલકાને પુત્ર-પુત્રીરૂપ જોડકાં થયાં અને તેમનું કમળા અને ધનદેવ નામ રાખ્યું. વળી પેલી કાશ્યપી બ્રાહ્મણી હતી તે (મરીને) વસંતતિલકા અને ધનદેવના સંયોગથી વરુણ નામનો પુત્ર થઈ. એ પ્રમાણે આ સર્વ સંબંધ સાંભળી કમળાને જાતિસ્મરણ જ્ઞાન થયું, ત્યારે તે ઉજ્જયિની નગરીમાં વસંતતિલકાને ઘરે ગઈ. ત્યાં પેલો વસંતતિલકાનો પુત્ર વરુણ પારણામાં ઝૂલતો હતો. તેને તે કહેવા લાગી કે હે બાળક! તારી સાથે મારા છ પ્રકારના સંબંધ છે, તે તું સાંભળ :
૧. મારો ભરથાર જે ધનદેવ તેના સંયોગથી તું જભ્યો માટે મારો પણ તું (શોક) પુત્ર છે.
૨. ધનદેવ મારો સગો ભાઈ છે અને તેનો તું પુત્ર છે, માટે તું મારો ભત્રીજો પણ છે.
૩. તારી માતા વસંતતિલકા છે તે જ મારી પણ માતા છે, માટે તું મારો ભાઈ પણ છે.
૪. તું મારા ભરથાર ધનદેવનો નાનો ભાઈ છે, તેથી તું મારો દિયર પણ છે.
૫. મારો ભરથાર ધનદેવ છે તે મારી માતા વસંતતિલકાનો પણ ભરથાર છે, તેથી ધનદેવ મારો પિતા પણ થયો અને તેનો તું નાનો ભાઈ છે, માટે તું મારો કાકો પણ છે.
૬. હું વસંતતિલકાની શોક્ય થઈ, તેથી ધનદેવ મારો શોકપુત્ર થયો અને તેનો તું પુત્ર છે માટે તું મારો પૌત્ર પણ છે.
એ પ્રમાણે વણને તે છે પ્રકારના સંબંધ કહેતી હતી. ત્યાં પેલી વસંતતિલકા આવી અને આ કમળાને કહેવા લાગી કે તું કોણ છે? કે મારા પુત્રને આ પ્રમાણે છે પ્રકારથી તારો સંબંધ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com