________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૪) સ્વાનુભવવિભૂષિત પ્રશમમૂર્તિ પૂજ્ય બહેનશ્રી ચંપાબેનની, અધ્યાત્મસાધના તેમ જ દેવ-ગુરુભક્તિભીની મંગળ છાયાતળે પૂર્વવત્ જે અનેકવિધ ધાર્મિક ગતિવિધિ ચાલે છે તેના એક અંગરૂપ સત્સાહિત્ય પ્રકાશનવિભાગ દ્વારા જે આર્ષપ્રણીત મૂળ શાસ્ત્રો તથા પ્રવચનગ્રંથો વગેરે પ્રકાશિત કરવામાં આવે છે તે પૈકીનું આ એક નૂતન પ્રકાશન છે.
આ ગ્રંથનું સુંદર મુદ્રણ કરી આપવા બદલ ‘કહાનમુદ્રણાલય'ના માલિક શ્રી જ્ઞાનચંદજી જૈનનો આભાર માનીએ છીએ.
તત્ત્વજ્ઞાન તેમ જ વૈરાગ્યરસથી ભરપૂર આ પવિત્ર ગ્રંથનું આત્માર્થના લક્ષે ઊંડું અવગાહન કરીને મુમુક્ષુ જીવો જ્ઞાનવૈરાગ્યરસભીની ભગવતી સાધના પ્રાપ્ત કરો !—એ જ, પ્રકાશનના શુભાવસરે મંગળ ભાવના.
દીપાવલી પર્વ, વિ.સં. ૨૦૪૩ (મહાવીર નિર્વાણ દિન)
સોનગઢ
પ્રકાશનસમિતિ શ્રી દિ. જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com