________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રકાશકીય નિવેદન
“ભગવાન શ્રી કુંદકુંદકહાનજૈનશાસ્ત્રમાળા'ના ૧૬૩મા પુષ્પરૂપે ગુજરાતી ભાષામાં સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષાનું આ બીજાં સંસ્કરણ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ દ્વારા પ્રકાશિત કરતાં અતિ પ્રસન્નતા અનુભવીએ છીએ. ગુજરાતી ભાષાનુવાદ યુક્ત આ ગ્રંથનું પ્રથમ સંસ્કરણ “શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનપ્રચારક ટ્રસ્ટ–અમદાવાદ તરફથી વિ. સં. ૨૦૦૭માં પ્રકાશિત કરવામાં આવ્યું હતું. તેના આધારે આ દ્વિતીય સંસ્કરણ મુદ્રિત કરવામાં આવ્યું છે.
બાળબ્રહ્મચારી અધ્યાત્મયોગી નિગ્રંથ દિગંબર મુનિવર શ્રી “સ્વામી કુમાર” અપરનામ “સ્વામી કાતિકય' પ્રણીત આ “અનુપ્રેક્ષાગ્રંથ' સમ્યજ્ઞાન-વૈરાગ્યનો અનુપમ બોધ આપનાર ઉચ્ચ કોટિનું એક મહાન શાસ્ત્ર છે. પ્રાકૃત ભાષામાં રચાયેલ આ પવિત્ર શાસ્ત્રમાં, વૈરાગ્યજનની અધૂંવાદિ બાર ભાવનાના અતિ ભાવવાહી તેમ જ રહસ્યગંભીર વર્ણનની સાથે સાથે, પ્રકરણના પ્રસંગ અનુસાર, વીતરાગ જૈનદર્શનનું પ્રયોજનભૂત તત્ત્વજ્ઞાન પણ અતિ સુંદર રીતે નિરૂપવામાં આવ્યું છે. “અનુપ્રેક્ષા ”ના આ ભાવવાહી મહાન ગ્રંથ ઉપર, અધ્યાત્મરસનુભવી બાળબ્રહ્મચારી સન્માર્ગપ્રકાશક પરમપૂજ્ય સદ્દગુરુદેવ શ્રી કાનજીસ્વામીએ અધ્યાત્મરસભરપૂર સુંદર પ્રવચનો આપ્યાં છે. પૂજ્ય ગુરુદેવે “સ્વામિકાર્તિકયાનુપ્રેક્ષા ”નાં પ્રવચનોમાં જે અર્થગંભીર તેમ જ જ્ઞાન-વૈરાગ્યપ્રેરક અદભુત રહસ્યો ખોલ્યાં છે. તેમનાથી અનેક મુમુક્ષુ-હૃદયો પ્રભાવિત થયાં છે અને તેથી કેટલાક મુમુક્ષુ મહાનુભાવોની, ઘણા વખતથી અપ્રાપ્ય એવા આ મહાન ગ્રંથનું નવું સંસ્કરણ છપાવવાની માગણી હતી.
અધ્યાત્મયુગપ્રવર્તક પરમ પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીની પવિત્ર સાધનાભૂમિ અધ્યાત્મતીર્થધામ સુવર્ણપુરી (સોનગઢ)માં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com