________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સંસારાનુપ્રેક્ષા ] ચક્રવર્તી પણ પોતાના નાના ભાઈ બાહુબલીથી હાર પામ્યા.
ભાવાર્થ- કોઈ જાણે કે “જેને મહાન પુણ્યનો ઉદય છે તેને તો સુખ છે', પણ સંસારમાં તો સુખ કોઈને પણ હોતું નથી. ભરત ચક્રવર્તી જેવા પણ અપમાનાદિકથી દુઃખી થયા તો બીજાઓની વાત જ શી કહેવી?
હવે એ જ અર્થને દઢ કરે છે:सयलट्ठविसयजोओ बहुपुण्णस्स वि ण सव्वहा होदि। तं पुण्णं पि ण कस्स वि सव्वं जेणिच्छिदं लहदि।।५०।। सकलार्थविषययोगः बहुपुण्यस्य अपि न सर्वथा भवति। तत् पुण्यं अपि न कस्य अपि सर्वं येन ईप्सितं लभते।।५०।।
અર્થ:- આ સંસારમાં સમસ્ત પદાર્થોનો, જે વિષય અર્થાત્ ભોગ્ય વસ્તુ છે તે સર્વનો, યોગ મોટા પુણ્યવાનને પણ સર્વાગપણે મળતો નથી. કોઈને એવું પુણ્ય જ નથી કે જે વડે બધાય મનોવાંચ્છિત (પદાર્થો) મળે.
ભાવાર્થ- મોટા પુણવાનને પણ વાંચ્છિત વસ્તુમાં કાંઈ ને કાંઈ ઓછાશ રહે છે, સર્વ મનોરથ તો કોઈના પણ પૂર્ણ થતા નથી; તો પછી (કોઈ જીવ) સંસારમાં સર્વાગ સુખી કેવી રીતે થાય ? कस्स वि णत्थि कलत्तं अहव कलत्तं ण पुत्तसंपत्ती। अह तेसिं संपत्ती तह वि सरोओ हवे देहो।। ५१।। कस्य अपि नास्ति कलत्रं अथवा कलत्रं न पुत्रसम्प्राप्तिः। अथ तेषां सम्प्राप्ति: तथापि सरोगः भवेत् देहः।। ५१।।
અર્થ - કોઈ મનુષ્યને તો સ્ત્રી નથી, કોઈને જો સ્ત્રી હોય તો પુત્રની પ્રાપ્તિ નથી તથા કોઈને પુત્રની પ્રાપ્તિ છે તો શરીર રોગયુક્ત છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com