________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
२४]
[स्वामितियानुप्रेक्षा अण्णोण्णं खज्जंता तिरिया पावंति दारुणं दुक्खं। माया वि जत्थ भक्खदि अण्णो को तत्थ रक्खेदि।। ४२।। अन्योऽन्यं खादन्तः तिर्यञ्चः प्राप्नुवन्ति दारुणं दुःखम्। माता अपि यत्र भक्षति अन्य: क: तत्र रक्षति।।४२।।
અર્થ- એ તિર્યંચગતિમાં જીવ પરસ્પર ભક્ષણ થતા થકા ઉત્કૃષ્ટ દુઃખ પામે છે; તે આને ખાય અને આ તેને ખાય. જ્યાં જેના ગર્ભમાં ઉત્પન્ન થયો છે એવી માતા પણ પુત્રને ભક્ષણ કરી જાય, તો પછી અન્ય કોણ રક્ષણ કરે? तिव्वतिसाए तिसिदो तिव्वविभुक्खाइ भुक्खिदो संतो। तिव्वं पावदि दुक्खं उयरहुयासेण डझंतो।।४३।।
तीव्रतृषया तृषित: तीव्रबुभुक्षया भुक्षितः सन्। तीव्र प्राप्नोति दुःखं उदरहुताशेन: दह्यमानः।। ४३।।
અર્થ - એ તિર્યંચગતિમાં જીવ તીવ્ર તરસથી તૃષાતુર તથા તીવ્ર ભૂખથી ક્ષુધાતુર થયો થકો તેમ જ ઉદરાગ્નિથી બળતો થકો (ઘણાં) તીવ્ર દુઃખ પામે છે.
હવે એ કથનને સંકોચે છે - एवं बहुप्पयारं दुक्खं विसहेदि तिरियजोणीसु। तत्तो णीसरिदूणं लद्धि-अपुण्णो णरो होदि।। ४४ ।। एवं बहुप्रकारं दुःखं विषहते तिर्यग्योनिषु। ततः निःसृत्य लब्धि-अपूर्णः नरः भवति।।४४।।
અર્થ- એ પ્રમાણે પૂર્વોક્ત પ્રકારથી તિર્યંચયોનિમાં જીવ અનેક પ્રકારથી દુઃખ પામે છે અને તેને સહે છે. એ તિર્યંચગતિમાંથી નીકળી (કદાચિત્ ) મનુષ્ય થાય તો કેવો થાય? લબ્ધિઅપર્યાપ્ત, કે જ્યાં પર્યાતિ પૂરી જ ન થાય.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com