________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
સંસારાનુપ્રેક્ષા ]
[૨૧
असुरोदीरियदुक्खं सारीरं माणसं तहा विविहं। खित्तुब्भवं च तिव्वं अप्णोण्णकयं च असुरोदीरितदुःख शारीरं मानसं तथा क्षेत्रोद्भवं च तीव्रं अन्योऽन्यकृतं च
पंचविहं ।। ३५ ।।
विविधम्। पंचविधम्।। ३५ ।।
અર્થ:- અસુરકુમારદેવોથી ઉપજાવેલાં દુઃખ, ( પોતાના ) શરીરથી જ ઉત્પન્ન થયેલાં દુ:ખ, મનથી અને અનેક પ્રકારનાં ક્ષેત્રથી ઉત્પન્ન થયેલાં દુ:ખ તથા પરસ્પર કરેલાં દુઃખ-એ પ્રમાણે પાંચ પ્રકારનાં દુ:ખ છે.
ભાવાર્થ:- ત્રીજા નરક સુધી તો અસુરકુમા૨દેવો માત્ર કુતૂહલથી જાય છે અને નારકીઓને જોઈ તેમને પરસ્પર લડાવે છેઅનેક પ્રકારથી દુ:ખી કરે છે; વળી એ નારકીઓનાં શરીર જ પાપના ઉદયથી સ્વયમેય જ અનેક રોગયુક્ત, બૂરાં, ઘૃણાકારી અને દુઃખમય હોય છે, તેમનાં ચિત્ત જ મહાક્રૂર અને દુઃખરૂપ જ હોય છે; નરકનું ક્ષેત્ર મહાશીત, ઉષ્ણ, દુર્ગંધાદિ અનેક ઉપદ્રવ સહિત છે; તથા પરસ્પર વેરના સંસ્કારથી (આપસ આપસમાં ) છેદન, ભેદન, મારણ, તાડન અને કુંભીપાક વગેરે કરે છે; ત્યાંનાં દુઃખ ઉપમારહિત છે.
હવે એ જ દુ:ખનો વિશેષ (ભેદ) કહે છે :
छिज्जइ तिलतिलमित्तं भिंदिज्जइ तिलतिलंतरं सयलं । वज्जग्गिए कढिज्जइ हिप्पए પૂર્ણRsમ્તિ।। રૂ૬।। छिद्यते तिलतिलमात्रं भिद्यते तिलतिलान्तरं सकलम् । वज्राग्निना कथ्यते निधीयते પૂયછુન્હે।। રૂ૬ ।।
અર્થ:- જ્યાં શ૨ી૨ને તલતલ પ્રમાણ છેદવામાં આવે છે, તેના તલતલ જેટલા શકલ અર્થાત્ ખંડને પણ ભેદવામાં આવે છે, વજ્રાગ્નિમાં પકાવવામાં આવે છે તથા પરુના કુંડમાં નાખવામાં આવે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com