________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સંસારાનુપ્રેક્ષા ]
[ ૧૯
ભાવાર્થ:- ૫૨માર્થથી વિચારવામાં આવે તો પોતાને પોતે જ રક્ષવાવાળો છે અને પોતે જ ઘાતવાવાળો છે. કોધાદિરૂપ ભાવ કરે છે ત્યારે શુદ્ધ ચૈતન્યનો ઘાત થાય છે તથા ક્ષમાદિરૂપ ભાવ કરે છે ત્યારે પોતાની રક્ષા થાય છે; અને એ જ (ક્ષમાદિ) ભાવોથી, જન્મમરણ રહિત થઈને, અવિનાશી પદ પ્રાપ્ત થાય છે.
વસ્તુસ્વભાવવિચારથી, શરણ આપકો આપ; વ્યવહા૨ે પંચ પરમગુરુ, અવર સકલ સંતાપ.
ઇતિ અશરણાનુપ્રેક્ષા સમાય.
*
૩. સંસારાનુપ્રેક્ષા
અહીં પ્રથમ બે ગાથાઓ વડે સંસારનું સામાન્ય સ્વરૂપ કહે છેઃ
एकं चयदि सरीरं अण्णं गिण्हेदि णवणवं जीवो। पुणु पुणु अण्णं अण्णं गिण्हदि मुंचेदि बहुवारं ।। ३२ ।। एवं जं संसरणं णाणादेहेसु हवदि जीवस्स । सो संसारो भण्णदि मिच्छकसाएहिं जुत्तस्स ।। ३३ ।। एकं त्यजति शरीरं अन्यत् गृह्णति नवं नवं जीवः । पुनः पुनः अन्यत् अन्यत् गृह्णाति मुंचति बहुवारम् ।। ३२ ।। एवं यत् संसरणं नानादेहेषु भवति जीवस्य । સ: સંસાર : મન્યતે મિથ્યાષાયૈ: યુòસ્ય।।રૂરૂ।।
=
અર્થ:- મિથ્યાત્વ અર્થાત્ વસ્તુનું સર્વથા એકાંતરૂપ શ્રદ્ધાન કરવું અને કષાય એટલે ક્રોધ-માન-માયા-લોભ-એ સહિત આ જીવને અનેક દેહોમાં જે સંસ૨ણ અર્થાત્ ભ્રમણ થાય છે તેને ‘સંસાર ’ કહીએ છીએ. તે કેવી રીતે ? એ જ કહીએ છીએ:- એક શરીરને છોડી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com