________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
દ્વાદશતપ ]
[ ૨૯૭
થાય તેના તેવા સ્વરૂપનું ચિંતવન કરે તે વિપાકવિચય છે.
અને લોકના સ્વરૂપનું ચિંતવન કરે તે સંસ્થાનવિચય છે.
૧
વળી આ ધર્મધ્યાન દશપ્રકારથી પણ કહ્યું છે-અપાયવિચય, ઉપાયવિચય, જીવવિચય, આજ્ઞાવિચય, વિપાકવિચય, અજીવવિચય, હેતુવિચય, વિરાગવિચય, ભવિચય અને સંસ્થાનવિચય. એ પ્રમાણે આ દશેનું ચિંતવન છે તે આ ચારે ભેદોના વિશેષભેદ છે. વળી પદસ્થ, પિંડસ્થ, રૂપસ્થ અને રૂપાતીત-એવા ચાર ભેદરૂપ પણ ધર્મધ્યાન હોય છે. ત્યાં પદ તો અક્ષરોના સમુદાયનું નામ છે અને તે પરમેષ્ઠીવાચક અક્ષર છે જેની મંત્ર સંજ્ઞા છે. એ અક્ષરોને પ્રધાન કરી પરમેષ્ઠીનું ચિંતવન કરે ત્યાં તે અક્ષરમાં એકાગ્રચિત્ત થાય તેને તેનું ધ્યાન કહે છે. ત્યાં નમોકારમંત્રના પાંત્રીસ અક્ષરો પ્રસિદ્ધ છે; તેમાં મનને જોડે તથા તે જ મંત્રના ભેદરૂપ ટૂંકામાં સોળ અક્ષરો છે. ‘અરહંતસિદ્ધ-આયરિય-ઉવઝાય-સાહૂઁ' એ સોળ અક્ષર છે તથા તેના જ ભેદરૂપ ‘અરહંત-સિદ્ધ' એ છ અક્ષર છે અને તેના જ સંક્ષેપમાં અ-સિ-આ-ઉ-સા ' એ આદિ અક્ષરરૂપ પાંચ અક્ષર છે; અરહંત એ ચાર અક્ષર છે, ‘સિદ્ધ’ વા અ’ એ બે અક્ષર છે. ‘ૐ’ એ એક અક્ષર છે. તેમાં પરમેષ્ઠીના સર્વ આદિ અક્ષરો છે. અ૨હંતનો ઞ, અશરીરી જે સિદ્ધ તેનો અ, આચાર્યનો આ,
૨
"
'
पदस्थं मन्त्रवाक्यस्थं पिण्डस्थं स्वात्मचिन्तनम्। रूपस्थं सर्वचिद्रूपं रूपातीतं निरञ्जनम्।। णमो अरहंताणं णमो सिद्धांण णमो आइरियाणं । णमो उवज्झायाणं णमो लोए सव्वसाहूणं ।। अर्हत्सिद्धाचार्योपाध्यायसर्वसाधुभ्यो नमः।
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
૬.
૨.