________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૬] .
[ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા वजियसयलवियप्पो अप्पसरूवे मणं णिरूंधंतो। जं चिंतदि साणंदं तं धम्मं उत्तमं झाणं।। ४८२।। वर्जितसकलविकल्पः आत्मस्वरूपे मनः निरुन्धन्। यत् चिन्तयति सानन्दं तत् धर्म्य उत्तमं ध्यानम्।। ४८२।।
અર્થ - જે બધાય અન્ય વિકલ્પોને છોડી, આત્મસ્વરૂપમાં મનને રોકી આનંદ સહિત ચિંતવન હોય તે ઉત્તમ ધર્મધ્યાન છે.
ભાવાર્થ- સમસ્ત અન્ય વિકલ્પરહિત આત્મસ્વરૂપમાં મનને સ્થિર કરવાથી જે આનંદરૂપ ચિંતવન રહે છે તે ઉત્તમ ધર્મધ્યાન છે. અહીં સંસ્કૃત ટીકાકારે અન્ય ગ્રંથાનુસાર ધર્મધ્યાનનું વિશેષ કથન કર્યું છે; તેને સંક્ષેપમાં લખીએ છીએ -
ધર્મધ્યાનના ચાર ભેદ કહ્યા છે. આજ્ઞાવિચય, અપાયરિચય, વિપાકવિચય તથા સંસ્થાનવિચર્યો. ત્યાં જીવાદિક છે દ્રવ્ય, પંચાસ્તિકાય, સાર તત્ત્વ અને નવ પદાર્થોનાં વિશેષ સ્વસ્વરૂપ-વિશિષ્ટ ગુરુના અભાવથી તથા પોતાની મંદબુદ્ધિવશ પ્રમાણ-નય નિક્ષેપથી સાધી શકાય એવું (સ્વરૂપ) જાણ્યું ન જાય ત્યારે એવું શ્રદ્ધાન કરે કે જે સર્વજ્ઞવીતરાગદેવે કહ્યું છે તે મારે પ્રમાણ છે” એ પ્રમાણે આજ્ઞા માની તે અનુસાર પદાર્થોમાં ઉપયોગને સ્થિર કરે તે આજ્ઞાવિચય-ધર્મધ્યાન
“અપાય” નામ નાશનું છે. ત્યાં જેમ કર્મોનો નાશ થાય તેમ ચિંતવે, મિથ્યાત્વભાવ એ ધર્મમાં વિપ્નનું કારણ છે તેનું ચિંતવન રાખે અર્થાત્ તે પોતાનામાં ન થવા દેવાનું અને પરને મટવાનું ચિંતવન રાખે તે અપાયરિચય છે.
વિપાક' નામ કર્મના ઉદયનું છે. ત્યાં જેવો કર્મનો ઉદય
१. सूक्ष्मं जिनोदितं तत्त्वं हेतुभि व हन्यते।
आज्ञासिद्धं तु तद्ग्राह्यं नान्यथावादिनो जिनाः।।
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com