________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્વાદશતપ ]
[ ૨૮૫
पूयादिसु णिरवेक्खो जिणसत्थं जो पढेइ भत्तीए । कम्ममलसोहणद्वं सुयलाहो सुहयरो तस्स ।। ४६२ ।।
पूजादिषु निरपेक्ष: जिनशास्त्रं यः पठति भक्त्या । कर्ममलशोधनार्थं શ્રુતનામ: સુવર્: તસ્યા। ૪૬૨।।
અર્થ:- જે મુનિ પોતાનાં પૂજા-માહાત્મ્યાદિમાં તો નિરપેક્ષ હોય-વાંચ્છારહિત હોય તથા ભક્તિપૂર્વક, કર્મમળ શોધન અર્થે, શાસ્ત્રાભ્યાસ કરે તેને શ્રુતનો લાભ સુખદાયક થાય છે.
ભાવાર્થ:- જે પોતાના પૂજા-મહિમા આદિ માટે શાસ્ત્રાભ્યાસ કરે છે તેને શાસ્ત્રાભ્યાસ સુખકારક થતો નથી, પણ જે માત્ર કર્મક્ષય અર્થે જ જિનશાસ્ત્રનો અભ્યાસ કરે છે તેને તે સુખકારક થાય છે.
जो जिणसत्थं सेवदि पंडियमाणी फलं समीहंतो । साहम्मियपडिकूलो सत्थं पि विसं हवे तस्स ।। ४६३ ।।
यः जिनशास्त्रं सेवते पण्डितमानी फलं समीहन् । साधर्मिकप्रतिकूलः शास्त्रं अपि विषं भवेत् तस्य ।। ४६३।।
અર્થ:- જે પુરુષ જિનશાસ્ત્ર તો ભણે છે અને પોતાનાં પૂજાલાભ-સત્કાર ઇચ્છે છે તથા જે સાધર્મી-સમ્યગ્દષ્ટિ-જૈનજનોથી પ્રતિકૂળ છે તે પંડિતમન્ય છે. જે પોતે પંડિત તો નથી અને પોતાને પંડિત માને છે તેને પંડિતમન્ય કહે છે. એવાને એ જ શાસ્ત્ર વિષરૂપ પરિણમે છે
ભાવાર્થ:- જે જિનશાસ્ત્રનો અભ્યાસ કરીને પણ તીવ્રકષાયી તથા ભોગાભિલાષી હોય, જૈનીજનોથી પ્રતિકૂળતા રાખે, એવા પંડિતમન્યને શાસ્ત્ર જ વિષ થાય છે, તે મુનિ પણ હોય તોપણ તેને વેષધારી-પાખંડી જ કહીએ છીએ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com