________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્વાદશતપ].
[ ૨૮૩ પ્રવર્તે છે, તેની આજ્ઞા માન્ય કરે છે, તેના હુકમ પ્રમાણે પ્રવર્તે છે, તેને પ્રત્યક્ષ જોઈ ઉભા થઈ થવું-સન્મુખ જવું-હાથ જોડવા-પ્રણામ કરવાતે ચાલે ત્યારે તેની પાછળ પાછળ ચાલવું-અને તેના પોષાકાદિ ઉપકરણ સંભાળવાં (એ આદિ જેમ તે ચાકર કરે છે, તેમ જ મુનિજનોની ભક્તિ, તેમનો વિનય, તેમની આજ્ઞાનું પાલન, તેમને પ્રત્યક્ષ જોઈ ઊભા થઈ સન્મુખ જવું, હાથ જોડવા, પ્રણામ કરવા, તે ચાલે ત્યારે પાછળ પાછળ ચાલવું તથા તેમનાં ઉપકરણ સંભાળવાં ઇત્યાદિક તેમનો વિનય કરવો તે ઉપચારવિનય છે.
હવે બે ગાથામાં વૈયાવૃજ્યતપ કહે છે :जो उवयरदि जदीणं उवसग्गजराइखीणकायाणं। पूयादिसु णिरवेक्खं वेज्जावच्चं तवो तस्स।। ४५९ ।। यः उपचरति यतीनां उपसर्गजरादिक्षीणकायानाम्। पूजादिषु निरपेक्षं वैयावृत्त्यं तपः तस्य।। ४५९ ।।
અર્થ - કોઈ મુનિ-યતિ ઉપસર્ગથી પીડિત હોય તથા વૃદ્ધાવસ્થા વા રોગાદિકથી ક્ષીણકાય હોય તેમનો પોતાની ચેષ્ટાથી, ઉપદેશથી તથા અલ્પ વસ્તુથી ઉપકાર કરે તેને વૈયાવૃત્ય નામનું તપ હોય છે. તે કેવી રીતે કરે? પોતે પોતાનાં પૂજા-મહિમાદિની અપેક્ષા-વાંચ્છા રહિત જેમ બની શકે તેમ કરે.
ભાવાર્થ - પોતે નિસ્પૃહ બનીને મુનિજનોની ચાકરી કરે તે વૈયાવન્ય છે. આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, શૈક્ષ્ય, ગ્લાન, ગણ, કૂલ, સંઘ, સાધુ અને મનોજ્ઞ એ દશ પ્રકારનાં યતિપુરુષ વૈયાવૃત્ય કરવા યોગ્ય કહ્યા છે. તેમનું યથાયોગ્ય, પોતાની શક્તિની વૃદ્ધિ માટે, વૈયાવૃત્ય કરે.
जो वावरइ सरूवे समदमभावम्मि सुद्धिउवजुत्तो। लोयववहारविरदो वेज्जावचं परं तस्स।। ४६० ।।
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com