________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
દ્વાદશતપ ]
[ ૨૭૩
એમ આહારની પણ મર્યાદા કરે, ઇત્યાદિક વૃત્તિની સંખ્યા-ગણનામર્યાદા મનમાં વિચારી એ જ પ્રમાણે (આહાર) મળે તો જ લે, બીજા પ્રકારે ન લે. વળી આહાર લે તો ગાય વગેરે પશુની માફક આહાર કરે અર્થાત્ જેમ ગાય આમતેમ જોયા સિવાય માત્ર ચારો ચરવા તરફ જ દૃષ્ટિ રાખે છે તેમ (મુનિ આહાર) લે તેને વૃત્તિપરિસંખ્યાનતપ કહે છે.
ભાવાર્થ:- ભોજનની આશાનો નિરાસ કરવા સારું આ તપ કરવામાં આવે છે, કારણ સંકલ્પ અનુસાર વિધિ મળી જવી એ દૈવયોગ છે અને એવું મહાન કઠણ તપ મહામુનિ કરે છે.
હવે રસપરિત્યાગતપ કહે છે:
संसारदुक्खतट्ठो विससमविसयं विचिंतमाणो जो । णीरसभोजं भुंजइ रसचाओ तस्स सुविसुद्धो ।। ४४६ ।। संसारदुःखत्रस्तः विषसमविषयं विचिन्तयन् यः । नीरसभोज्यं भुंक्ते रसत्यागः तस्य सुविशुद्धः ।। ४४६ ।।
અર્થ:- જે મુનિ સંસારદુઃખથી ભયભીત થઈ આ પ્રમાણે વિચારે છે કે- ઇન્દ્રિયોના વિષયો વિષ જેવા છે, વિષ ખાતાં તો એક વાર મરણ થાય પણ વિષયરૂપ વિષથી ઘણાં જન્મ-મરણ થાય છે. એમ વિચારી જે નીરસભોજન કરે છે તેને રસપરિત્યાગતપ નિર્મળ થાય છે.
ભાવાર્થ:- ૨સ છ પ્રકારના છે-ઘી, તેલ, દહીં, મીઠાઈ, લવણ અને દૂધ એવા તથા ખાટો, ખારો, મીઠો, કડવો, તીખો અને કષાયલો એ પણ રસ છે. તેનો ભાવનાનુસાર ત્યાગ કરવો અર્થાત્
१. खीरदधिसप्पितेलं गुडलवणाणं च जं परिच्चयणं। तित्तकडुकसायंबिलं मधुररसाणं च जं चयणं ।। મૂલાધાર-પંચાચારાધિકાર, ગા. ૧૫૫
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com