________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્વાદશત૫]
[ ૨૭૧ उववासं कुव्वाणो आरंभं जो करेदि मोहादो। तस्स किलेसो अवरं कम्माणं णेव णिजुरणं।। ४४२।। उपवासं कुर्वाण: आरम्भं यः करोति मोहतः।। तस्य क्लेश: अपरं कर्मणां नैव निर्जरणम्।।४४२।।
અર્થ- જે ઉપવાસ કરતો થકો પણ મોહથી આરંભ-ગૃહ કાર્યાદિકને કરે છે તેને પ્રથમ ગૃહકાર્યનો કલેશ તો હતો જ અને બીજો આ ભોજન વિના ક્ષુધા- તૃષાનો કલશ થયો. એટલે એ પ્રમાણે થતાં તો કલેશ જ થયો પણ કર્મનિર્જરા તો ન થઈ.
ભાવાર્થ- જે આહારને તો છોડ પણ વિષય-કપાય-આરંભને ન છોડે તેને પહેલાં તો કલેશ હતો જ અને હવે આ બીજો કલેશ ભૂખ-તરસનો થયો, એવા ઉપવાસમાં કર્મનિર્જરા કયાંથી થાય? કર્મનિર્જરા તો સર્વ કલેશ છોડી સામ્યભાવ કરતાં જ થાય છે એમ સમજવું.
હવે અવમોદર્યતપ બે ગાથામાં કહે છે:आहारगिद्धिरहिओ चरियामग्गेण पासुगं जोग्गं। अप्पयरं जो भुंजइ अवमोदरियं तवं तस्स।। ४४३।। आहारगृद्धिरहितः चर्यामार्गेण प्रासुकं योग्यम्। अल्पतरं यः भुंक्ते अवमौदर्यं तपः तस्य।। ४४३।।
અર્થ:- જે તપસ્વી આહારની અતિ ગૃદ્ધિ રહિત થઈ સૂત્રમાં કહ્યા પ્રમાણે ચર્યાના માર્ગાનુસાર યોગ્ય પ્રાસુક આહાર પણ અતિ અલ્પ ગ્રહણ કરે તેને અવમોદર્યતા હોય છે.
ભાવાર્થ- મુનિરાજ આહારના છેતાલીશ દોષ, બત્રીસ અંતરાય ટાળી ચૌદ મળદોષરહિત પ્રાસુક યોગ્ય ભોજન ગ્રહણ કરે છે તોપણ તે ઊણોદરતપ કરે છે, તેમાં પણ પોતાના આહારના પ્રમાણથી થોડો આહાર લે છે. આહારનું પ્રમાણ એક ગ્રાસથી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com