________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૦].
( [ સ્વામિકાર્તિકયાનુપ્રેક્ષા ભાવાર્થ- અન્યમતી હિંસામાં ધર્મ સ્થાપન કરે છે. મીમાંસક તો યજ્ઞ કરે છે તેમાં પશુઓને હોમી તેનું શુભ ફળ બતાવે છે; દેવી-ભૈરવના ઉપાસકો બકરાં વગેરે મારી દેવીભૈરવને ચઢાવે છે અને તેનું શુભ ફળ માને છે; બૌદ્ધમતી હિંસા કરી માંસાદિકના આહારને શુભ કહે છે તથા શ્વેતામ્બરોનાં કેટલાંક સૂત્રોમાં એમ કહ્યું છે કે- “દેવ-ગુરુ-ધર્મના માટે ચક્રવર્તીની સેનાને પીલી નાખવી; જે સાધુ આ પ્રમાણે નથી કરતો તે અનંતસંસારી થાય છે. વળી કોઈ ઠેકાણે મધ-માંસનો આહાર પણ તેમાં લખ્યો છે. એ સર્વનો આ ગાથાથી નિષેધ કર્યો છે એમ સમજવું. જે દેવ- ગુરુના કાર્ય માટે પણ હિંસાનો આરંભ કરે છે તે શુભ નથી, ધર્મ તો દયાપ્રધાન જ છે.
વળી આ પ્રમાણે પણ સમજવું કે પૂજા, પ્રતિષ્ઠા, ચૈત્યાલયનું નિર્માપન, સંઘ-યાત્રા તથા વસતિકાનું નિર્માપન આદિ ગૃહસ્થનાં કાર્યો છે, તેને પણ મુનિ પોતે ન કરે, ન કરાવે, ન અનુમોદે; કારણ કે તે ગૃહસ્થોનો ધર્મ છે. તેમનું વિધાન સૂત્રમાં લખ્યું હોય તેમ ગૃહસ્થ કરે. ગૃહસ્થ મુનિને આ સંબંધી પ્રશ્ન કરે તો મુનિ આમ કહે કે “જિનસિદ્ધાન્તમાં ગૃહસ્થનો ધર્મ પૂજા-પ્રતિષ્ઠાદિ લખ્યો છે તેમ કરો.' આ પ્રમાણે કહેવામાં હિંસાનો દોષ તો ગૃહસ્થને જ છે, માત્ર એ શ્રદ્ધાન-ભક્તિધર્મની પ્રધાનતા તેમાં જે થઈ, એ સંબંધી જે પુણ્ય થયું. તેના સીરી ( ભાગીદાર) મુનિ પણ છે, પરંતુ હિંસા તો ગૃહસ્થની છે, તેના સીરી (ભાગીદાર) નથી. વળી ગૃહસ્થ પણ જો હિંસા કરવાનો અભિપ્રાય કરે તો તે અશુભ જ છે. પૂજા-પ્રતિષ્ઠા યત્નપૂર્વક કરે છે તે કાર્યમાં ગૃહસ્થને હિંસા થાય તો તે કેમ ટળે? તેનું સમાધાન આ છે કે સિદ્ધાન્તમાં આમ પણ કહ્યું છે કે અલ્પ અપરાધ લાગતાં પણ જો ઘણું પુણ્ય થતું હોય તો એવું કાર્ય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com