________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૨ ]
[ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા પૂર્ણ થાય ત્યારે ઘકાર્યમાં જોડાય તેને પ્રોષધવ્રત હોય છે. વળી આઠમ-ચૌદશના દિવસમાં ઉપવાસનું સામર્થ્ય ન હોય તો એકવા૨ ભોજન કરે વા નીરસ કાંજી આદિ અલ્પ આહાર કરી ધર્મધ્યાનમાં સમય વીતાવે. એ પ્રમાણે આગળ પ્રોષધપ્રતિમામાં સોળ પહોર કહ્યું છે તેમ કરે. પરંતુ અહીં ગાથામાં કહ્યું નથી તેથી સોળ પહોરનો નિયમ ન જાણવો. આ પણ મુનિવ્રતની શિક્ષા જ છે.
હવે અતિથિસંવિભાગ નામનું ત્રીજું શિક્ષાવ્રત કહે છે:तिविहे पत्तम्हि सया सद्धाइगुणेहिं संजुदो णाणी । दाणं जो देदि सयं णवदाणविहीहिं संजुत्तो ।। ३६० ।। सिक्खावयं च तदियं तस्स हवे सव्वसिद्धिसोक्खयरं । दाणं चउव्विहं पि य सव्वे दाणाण सारयरं ।। ३६१ ।।
त्रिविधे पात्रे सदा श्रद्धादिगुणैः संयुतः ज्ञानी । दानं यः ददाति स्वकं नवदानविधिभिः संयुक्तः ।। ३६० ।। शिक्षाव्रतं च तृतीयं तस्य भवेत् सर्वसिद्धिसौख्यकरम् । दानं चतुर्विधं अपि च सर्वदानानां सारतरम् ।। ३६१।।
અર્થ:- જે જ્ઞાનીશ્રાવક, ઉત્તમ-મધ્યમ-જઘન્ય એ ત્રણ પ્રકારના પાત્રોને અર્થે દાતારના શ્રદ્ધા આદિ ગુણોથી યુક્ત બની પોતાના હાથથી નવધાભક્તિસહિત થઈને દરરોજ દાન આપે છે તે શ્રાવકનું ત્રીજું અતિથિસંવિભાગશિક્ષાવ્રત હોય છે. એ દાન કેવું છે? આહાર, અભય, ઔષધ અને શાસ્ત્રદાનના ભેદથી ચાર પ્રકારનું છે. વળી અન્ય જે લૌકિક ધનાદિકના દાન કરતાં આ દાન અતિશય સારરૂપ ઉત્તમ છે. સર્વ સિદ્ધિસુખનું ઉપજાવવાવાળું છે.
ભાવાર્થ:- ત્રણ પ્રકારના પાત્રોમાં ઉત્કૃષ્ટ તો મુનિ, મધ્યમ અણુવ્રતીશ્રાવક તથા જઘન્ય અવિરતસમ્યગ્દષ્ટિ છે. વળી દાતારના Please inform us of any errors on Rajesh@AtmaDharma.com