________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
૨૧૦ ]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા
बंधित्ता पजुंकं अहवा उड्ढेण उब्भओ ठिच्चा । कालपमाणं किच्चा दियवावारवज्जिओ होउं ।। ३५५ ।। जिणवयणेयग्गमणो संवुडकाओ य अंजलिं किच्चा । ससरूवे संलीणो वंदणअत्थं किच्चा देसपमाणं सव्वंसावज्जवज्जिदो होउं । जो कुव्वदि सामइय सो मुणिसरिसो हवे ताव ।। ३५७ ।।
विचिंतंतो ।। ३५६ ।
बद्धाव पर्यंकं अथवा ऊर्ध्वेन ऊर्ध्वतः स्थित्वा । कालप्रमाणं कृत्वा इन्द्रियव्यापारवर्जितः भूत्वा ।। ३५५ ।। जिनवचनैकाग्रमनाः संवृतकाय: च अञ्जलिं कृत्वा । स्वस्वरूपे संलीन: वन्दनार्थं विचिन्तयन्।। ३५६ ।। कृत्वा देशप्रमाणं सर्वसावद्यवर्जितः भूत्वा । यः कुर्वते सामायिकं सः मुनिसदृशः भवेत् तावत्।। ३५७।।
અર્થ:-પર્યંતકાસન બાંધી અથવા ઊભા ખડગાસને રહીને, કાળનું પ્રમાણ કરી, વિષયોમાં ઇન્દ્રિઓનો વ્યાપા૨ નહિ થવા અર્થે જિનવચનમાં એકાગ્રચિત્ત કરી, કાયાને સંકોચી, હાથની અંજલિ જોડી, પોતાના સ્વરૂપમાં લીન થયો થકો અથવા સામાયિક-વંદનાના પાઠના અર્થને ચિંતવતો થકો, ક્ષેત્રનું પરિમાણ કરી, સર્વ સાવધયોગ જે ઘ૨-વ્યાપારાદિ પાપયોગ તેનો ત્યાગ કરી, પાપયોગરહિત બની સામાયિકમાં પ્રવર્તે તે શ્રાવક તે કાળમાં મુનિ જેવો છે.
ભાવાર્થ:- આ શિક્ષાવ્રત છે. ત્યાં આ અર્થ સૂચિત છે કે જે સામાયિક છે તેમાં સર્વ રાગ-દ્વેષરહિત બની, બહારની સર્વ પાપયોગક્રિયાથી રહિત થઈ, પોતાના આત્મસ્વરૂપમાં તલ્લીન બની મુનિ પ્રવર્તે છે. આ સામાયિકચારિત્ર મુનિનો ધર્મ છે. એ જ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com