________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ધર્માનુપ્રેક્ષા]
[ ૧૯૭ આ છે કે જેથી અન્ય જીવોનું બુરુ થાય, પોતાના ઉપર આપદા આવી પડે તથા વૃથા પ્રલાપવાકયોથી પોતાને પણ પ્રમાદ વધે એવાં સ્કૂલ અસત્યવચન અણુવ્રતી શ્રાવક કહે નહિ, બીજા પાસે કહેવરાવે નહિ તથા કહેવાવાળાને ભલો જાણે નહિ. તેને આ બીજું અણુવ્રત હોય છે.
હવે ત્રીજું અચૌર્યાવ્રત કહે છે:जो बहुमुल्लं वत्थु अप्पयमुल्लेण णेव गिहेदि। वीसरियं पि ण गिलदि लाहे थोवे वि तूसेदि।। ३३५।। जो परदव्वं ण हरदि मायालोहेण कोहमाणेण। दिढचित्तो सुद्धमई अणुव्वई सो हवे तिदिओ।। ३३६ ।। यः बहुमूल्यं वस्तु अल्पमूल्येन नैव गृह्णाति। विस्मृतं अपि न गृह्णाति लाभे स्तोके अपि तुष्यति।। ३३५ ।। यः परद्रव्यं न हरति मायालोभेन क्रोधमानेन। दृढचित्तः शुद्धमतिः अणुव्रती सः भवेत् तृतीयः।। ३३६ ।।
અર્થ:- જે શ્રાવક બહુમૂલ્ય વસ્તુ અલ્પમૂલ્યમાં ન લે. કપટથીલોભથી-ક્રોધથી-માનથી પરનું દ્રવ્ય ન લે, તે ત્રીજા અણુવ્રતધારી શ્રાવક છે. કેવો છે તે? દઢ છે ચિત્ત જેનું, કારણ પામવા છતાં
૩. પરને ઠગવા માટે અછતા-જૂઠા લેખ લખવા, એવો એવો બધો, કુટલેખક્રિયા
નામનો અતિચાર છે. ૪. કોઈ રૂપિઆ-મહોર-આભરણાદિ પોતાને સોંપી ગયો હોય અને પાછળથી
તેની ગણતરી ભૂલી અલ્પ પ્રમાણમાં માગવા લાગ્યો તેને “હા ઠીક છે
તમારું આ છે તે લઈ જાઓ” એમ કહેવું તે ન્યાસાપાર-અતિચાર છે. ૫. અંગવિકાર ભૂકુટીક્ષપાદિકથી અન્યનો અભિપ્રાય જાણી ઈર્ષાભાવથી લોકમાં
પ્રગટ કરવો તે સાકારમંત્રભેદ નામનો અતિચાર છે. આ સત્યાણુવ્રતના પાંચ અતિચારદોષ છે તે છોડવા યોગ્ય છે. (અર્થપ્રકાશિકા ટીકા, પા. ૨૮૫)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com