SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates ધર્માનુપ્રેક્ષા ] [૧૯૧ કુભોગભૂમિમાં ઊપજતો નથી; કારણ કે તેને અનંતાનુબંધીકષાયના ઉદયના અભાવથી દુર્ગતિના કારણરૂપ કષાયોના સ્થાનકરૂપ પરિણામો થતા નથી. અહીં તાત્પર્ય એ જાણવું કે-ત્રણ કાળ અને ત્રણ લોકમાં સમ્યગ્દર્શન સમાન કલ્યાણરૂપ અન્ય કોઈ પદાર્થ નથી અને મિથ્યાદર્શન સમાન કોઈ શત્રુ નથી, એટલા માટે શ્રીગુરુનો ઉપદેશ છે કે પોતાના સર્વસ્વ ઉપાય-ઉધમ-યત્નથી પણ એક મિથ્યાત્વનો નાશ કરી સમ્યક્ત્વ અંગીકાર કરવું. એ પ્રમાણે ગૃહસ્થ-ધર્મના બાર ભેદોમાં સમ્યક્ત્વ-સહિતપણારૂપ પ્રથમ ભેદનું નિરૂપણ કર્યું. હવે પ્રતિમાના અગિયાર ભેદ છે તેનું સ્વરૂપ કહે છે. ત્યાં પ્રથમ જ દાર્શનિક શ્રાવકનું સ્વરૂપ કહે છેઃ बहुतससमण्णिदं जं मज्जं मंसादि णिंदिदं दव्वं । जो ण य सेवदि णियमा सो दंसणसावओ होदि ।। ३२८ ।। बहुत्रससमन्वितं यत् मद्यं मांसादि निन्दितं द्रव्यम् । यः न च सेवते नियमात् सः दर्शनश्रावकः भवति।। ३२८।। અર્થ:- ઘણા ત્રસજીવોના ઘાતથી ઉત્પન્ન તથા એ સહિત મદિરાને તથા અતિનિધ એવાં માંસાદિ પદાર્થો છે તેને જે નિયમથી સેવતો નથી-ભક્ષણ કરતો નથી તે દાર્શનિક શ્રાવક છે. ભાવાર્થ:- મદિરા-માંસ તથા આદિ શબ્દથી મધુ અને પાંચ ઉદંબ૨ફળ કે જે ત્રસજીવોના ઘાત સહિત છે તે વસ્તુઓને પણ જે દાર્શનિક શ્રાવક છે તે ભક્ષણ કરતો નથી. મધ તો મનને મૂચ્છિત કરે છે–ધર્મને ભુલાવે છે. માંસ ત્રસઘાત વિના થતું જ નથી. મધુની ઉત્પત્તિ પ્રસિદ્ધ ત્રસઘાતનું સ્થાન જ છે. પીપળ-વડ-પીલુ આદિ ફળોમાં ત્રસજીવો ઊડતા પ્રત્યક્ષ જોવામાં આવે છે. અન્ય ગ્રંથોમાં પણ કહ્યું છે કે તેમનો ત્યાગ એ શ્રાવકના આઠ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008315
Book TitleSwami Kartikeyanupreksha
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages345
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy