________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ધર્માનુપ્રેક્ષા]
[૧૮૫ ધર્મને ધર્મ જાણે છે. પણ દેવતાઓને અર્થે યજ્ઞાદિમાં પશુને ઘાત કરી ચઢાવવામાં (લોકો) ધર્મ માને છે પણ તેમાં પાપ જ જાણી પોતે તેમાં પ્રવર્તતો નથી તથા ગ્રંથી (બાહ્ય-અંતરંગ પરિગ્રહની મૂછ-પકડ) સહિત અનેક અન્યમતી વેષધારીઓ છે વા કાળદોષથી જૈનમતમાં પણ વેષધારી નિપજ્યા છે તે સર્વને વેષધારી–પાખંડી જાણે પણ તેને વંદેપૂજે નહિ, પરંતુ સર્વ પરિગ્રહરહિત હોય તેમને જ ગુરુ માની વંદનપૂજન કરે; કારણ કે દેવ-ગુરુ-ધર્મના આશ્રયથી તો મિથ્યા કે સમ્યક ઉપદેશ પ્રવર્તે છે. એ કુદેવ-કુગુરુ-કુધર્મનું વંદન-પૂજન તો દૂર રહો તેના સંસર્ગમાત્રથી પણ શ્રદ્ધાન બગડી જાય છે માટે સમ્યગ્દષ્ટિ તો તેઓની સંગતિ પણ કરતો નથી. સ્વામી સમતભદ્રઆચાર્ય રત્નકરંડશ્રાવકાચારમાં એમ કહ્યું છે કે-ભયથી, આશાથી, સ્નેહથી કે લોભથી એ કુદેવ, કુઆગમ તથા કુલિંગી-વેષધારીને પ્રણામ કે તેમનો વિનય જે સમ્યગ્દષ્ટિ છે તે કરતો નથી, તેઓના સંસર્ગથી પણ શ્રદ્ધાન બગડે છે ધર્મની પ્રાપ્તિ તો દૂર જ રહી એમ જાણવું.
હવે મિથ્યાદષ્ટિ કેવો હોય છે તે કહે છે :दोससहियं पि देवं जीवहिंसाइसंजुदं धम्म। गंथासत्तं च गुरुं जो मण्णदि सो हु कुद्दिट्ठी।।३१८ ।। दोषसहितं अपि देवं जीवहिंसादिसंयुतं धर्मम्। ग्रन्थासक्तं च गुरुं यः मन्यते सः स्फुटं कुदृष्टिः।। ३१८ ।।
અર્થ - જે જીવ દોષોસહિત દેવોને તો દેવ માને છે, જીવહિંસા હિતમાં ધર્મ માને છે તથા પરિગ્રહાસક્તને ગુરુ માને છે
१ भयाशास्नेहलोभाच्च कुदेवागमलिंगिनाम्। प्रणामं विनयं चैव न कुर्युः शुद्धदृष्टयः।।
(શ્લોક ૩૦)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com