________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૭) છે, અને તેના ભેદ નય છે. તે વસ્તુને અનેક ધર્મસ્વરૂપ સાધે છે, તેનું વર્ણન છે. વળી કહ્યું છે કે પ્રમાણ-નયોથી વસ્તુને સાધી જે મોક્ષમાર્ગને સાધે છે એવા, તત્ત્વને સાંભળવાવાળા, જાણવાવાળા, ભાવવાવાળા તથા ધારણ કરવાવાળા વિરલા છે, પણ વિષયોને વશ થવાવાળા ઘણા છે.-એમ કહી લોકભાવનાનું કથન પૂર્ણ કર્યું છે.
ત્યાર પછી અઢાર ગાથાઓમાં “બોધિદુર્લભાનુપ્રેક્ષા ”નું વર્ણન કર્યું છે. તેમાં સંસારી જીવ નિગોદથી માંડીને અનેક પર્યાય સદા પામ્યા કરે છે, જે સર્વ સુલભ છે; પરંતુ માત્ર એક સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રરૂપ મોક્ષમાર્ગ પામવો મહા દુર્લભ છે-એમ કહ્યું છે.
ત્યાર પછી એકસો છત્રીશ ગાથાઓમાં “ધર્માનુપ્રેક્ષા નું વર્ણન કર્યું છે. ત્યાં નેવું ગાથાઓમાં શ્રાવકધર્મનું વર્ણન છે. તેમાં છવ્વીસ ગાથાઓમાં તો અવિરત-સમ્યગ્દષ્ટિનું વર્ણન છે, બે ગાથાઓમાં દર્શનપ્રતિમાનું, એકતાલીશ ગાથાઓમાં વ્રતપ્રતિમાનું (શ્રાવકનાં બાર વ્રતોનું), બે ગાથાઓમાં સામાયિકપ્રતિમાનું, છ ગાથાઓમાં પ્રોષધપ્રતિમાનું, ત્રણ ગાથાઓમાં સચિત્તત્યાગપ્રતિમાનું, બે ગાથાઓમાં રાત્રિભોજનત્યાગપ્રતિમાનું, એક ગાથામાં બ્રહ્મચર્યપ્રતિમાનું, એક ગાથામાં આરંભવિરતિપ્રતિમાનું, બે ગાથાઓમાં પરિગ્રહત્યાગપ્રતિમાનું, બે ગાથાઓમાં અનુમતિત્યાગપ્રતિમાનું અને બે ગાથાઓમાં ઉષ્ટિઆહારત્યાગપ્રતિમાનું વર્ણન છે.-એ પ્રમાણે અગિયાર પ્રતિમાઓનું વર્ણન છે. વળી બેંતાળીશ ગાથાઓમાં મુનિધર્મનું વર્ણન છે. ત્યાં રત્નત્રયયુક્ત થઈ મુનિ ઉત્તમ ક્ષમાદિ દશલક્ષણધર્મનું પાલન કરે છે. તે દશલક્ષણધર્મનું ભિન્ન ભિન્ન વર્ણન કર્યું છે. અહિંસાદિ ધર્મની મહત્તાનું વર્ણન કર્યું છે, ત્યાં કહ્યું છે કે-ધર્મ સેવવો, પણ તે પુણ્યફળના અર્થે ન સેવવો, પરંતુ માત્ર મોક્ષ-અર્થે સેવવો, ધર્મમાં શંકાદિ આઠ દૂષણ ન રાખવાં, પણ નિઃશંકિતાદિ આઠ અંગ સહિત ધર્મ સેવવો.-એ વગેરે ભિન્ન ભિન્ન વર્ણન છે. અંતમાં ધર્મના ફળનું માહાભ્ય વર્ણવીને ધર્માનુપ્રેક્ષાનું કથન સમાપ્ત કર્યું છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com