________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૮]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા વર્ષનું છે, અપ્રકાયિક જીવોનું ઉત્કૃષ્ટ આયુ સાત હજાર વર્ષનું છે, અગ્નિકાયિક જીવોનું ઉત્કૃષ્ટ આયુ ત્રણ દિવસનું છે તથા વાયુકાયિક જીવોનું ઉત્કૃષ્ટ આયુ ત્રણ હજાર વર્ષનું છે. - હવે બે ઇન્દ્રિય આદિનું ઉત્કૃષ્ટ આયુ કહે છે:बारसवास वियक्खे एगुणवण्णा दिणाणि तेयखे। चउरक्खे छम्मासा पंचक्खे तिण्णि पल्लाणि।। १६३ ।। द्वादशवर्षाणि व्यक्षे एकोनपंचाशत् दिनानि त्र्यक्षे। चतुरक्षे षण्मासा: पंचाक्षे त्रीणि पल्यानि।।१६३।।
અર્થ- બેઇન્દ્રિય જીવોનું ઉત્કૃષ્ટ આયુ બાર વર્ષનું છે, ત્રણઇન્દ્રિય જીવોનું ઉત્કૃષ્ટ આયુ ઓગણપચાસ (૪૯) દિવસનું છે, ચારઇન્દ્રિય જીવોનું ઉત્કૃષ્ટ આયુ છ મહિનાનું છે તથા પંચેન્દ્રિય જીવોનું ઉત્કૃષ્ટ આયુ ભોગભૂમિની અપેક્ષાએ ત્રણ પલ્યનું છે.
હવે બધાંય તિર્યંચ અને મનુષ્યોનું જઘન્ય આયુ કહે છે:सव्वजहणं आऊ लद्धियपुण्णाण सव्वजीवाणं। मज्झिमहीणमुहुत्तं पतिजुदाण णिक्किठें।। १६४।। सर्वजघन्यं आयुः लब्ध्यपर्याप्तानां सर्वजीवानाम्। मध्यमहीनमुहूर्तं पर्याप्तियुतानां निःकृष्टम्।। १६४।।
અર્થ- લધ્યપર્યાયક સર્વ જીવોનું જઘન્ય આયુ મધ્યમ હીનમુહૂર્ત છે અને તે ક્ષુદ્રભવમાત્ર જાણવું અર્થાત્ એક ઉચ્છવાસના અઢારમા ભાગમાત્ર છે વળી એકેન્દ્રિયાદિથી માંડીને કર્મભૂમિના તિર્યંચ-મનુષ્ય એ બધાય પર્યાપ્ત જીવોનું જઘન્ય આયુ પણ મધ્યમ હીનમુહૂર્ત છે અને તે પહેલાનાંથી મોટું મધ્યમ અંતર્મુહૂર્ત છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com