________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
લોકાનુપ્રેક્ષા ]
[ ૮૯ एकाक्षे चत्वारः प्राणा द्वित्रिचतुरिन्द्रियासंज्ञिसंज्ञिनाम्। षट् सप्त अष्ट नवकं दश पूर्णानां क्रमेण प्राणाः।। १४०।।
અર્થ- એકેન્દ્રિયને ચાર પ્રાણ છે, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, અસંજ્ઞીપંચેન્દ્રિય તથા સંજ્ઞીપંચેન્દ્રિય પર્યાયજીવોને અનુક્રમે છ-સાત-આઠ-નવ-દશ પ્રાણ છે. આ પ્રાણ પર્યાયની અપેક્ષાએ કહ્યા છે.
હવે એ જ જીવોને અપર્યાપ્તદશામાં કેટલા પ્રાણ છે તે કહે છે:दुविहाणमपुण्णाणं इगिबितिचउरक्ख-अंतिमदुगाणं। तिय चउ पण छह सत्त य कमेण पाणा मुणेयव्वा।।१४१।। द्विविधानां अपूर्णानां एकद्वित्रिचतुरक्षान्तिमद्विकानां। त्रयः चत्वारः पञ्च षट् सप्त च क्रमेण प्राणा ज्ञातव्याः।। १४१ ।।
અર્થ:- બંને પ્રકારના અપર્યાપ્ત (નિવૃત્યપર્યાય તથા લધ્યપર્યાપક) જે એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય,અસંજ્ઞિ તથા સંશિપંચેન્દ્રિયોને ત્રણ, ચાર, પાંચ, છ, સાત એ પ્રમાણે અનુક્રમે પ્રાણ હોય છે.
ભાવાર્થ- નિવૃત્ત્વપર્યાપ્ત તથા લધ્યપર્યાય એકેન્દ્રિયોને ત્રણ, બે ઇન્દ્રિયને ચાર, ત્રણ ઇન્દ્રિયને પાંચ, ચાર ઇન્દ્રિયને છે તથા અસશી-સંજ્ઞીપંચેન્દ્રિયને સાત એ પ્રમાણે પ્રાણ હોય છે.
હવે વિકલત્રયજીવોનું સ્થાન દર્શાવે છે:बितिचउरक्खा जीवा हवंति णियमेण कम्मभूमीसु। चरिमे दीवे अद्धे चरम-समुद्दे बि सव्वेसु।।१४२।।
द्वित्रिचतुरक्षाः जीवाः भवन्ति नियमेन कर्मभूमिषु। चरमे द्वीपे अर्द्ध चरमसमुद्रे अपि सर्वेषु।। १४२।।
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com