SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates ૩૮ પ્રવચન નં:- ૩ ગાથા-૪૦ લક્ષણ છે, ભાવકર્મ જીવનું લક્ષણ નથી. ઔદિયક ભાવ તે વિકારી પરિણામનું લક્ષણ છે અને ભગવાન આત્મા તો નિત્ય શુદ્ધ પરમપારિણામિકભાવે બિરાજમાન છે. એ એનું લક્ષણ નથી પરંતુ મારું લક્ષણ છે. આત્માનું લક્ષણ છે એમ નહીં પણ તે મારું લક્ષણ છે. આહા... હા ! એક એક લીટીમાં અમૃતના ઢગલા ભર્યા છે. આ શાસ્ત્ર વાંચવા માટે નથી પરંતુ આ શાસ્ત્ર તો ઘોળી–ઘોળીને ઘૂંટડા ભરી ભરીને પીવા જેવું છે. ભાઈ ! પડકાર કરે છે હો ! તેમને અંતરથી ઉલ્લાસ આવે છે. જગતને એમ લાગે કે તેમને બોલતા આવડતું નથી. અરે ! ભાષાનો બોલનારો આત્મા નથી સાંભળતો ખરા ! 66 સદા નિરુપ૨ાગ જેનું સ્વરૂપ છે એવા નિરંજન (નિર્દોષ ) નિજ ૫૨માત્મ તત્ત્વને ખરેખર દ્રવ્યકર્મના જઘન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટ સ્થિતિબંધનાં સ્થાનો નથી.” સદા નિરુપરાગ છે એટલે આત્મા હંમેશાં-ત્રણેકાળ રાગરહિત છે એવું જેનું સ્વરૂપ છે. જેનું એટલે મારું, જેનું એટલે કોનું ? આત્માનું નહીં પરંતુ મારું તેમ લેવું. કેમકે હું તો શુદ્ધાત્મા છું, હું તો ત્રણેકાળ રાગથી રહિત છું. નિરંજન એટલે અંજન-દોષ રહિત છે. અંજન એટલે રાગની કાળપનો મેલ આત્મામાં નથી. ભગવાન આત્મા દોષ રહિત નિર્દોષ છે.. તેવા નિજ પરમાત્મતત્ત્વને ઉપાધિરૂપ કોઈ સ્થાનો નથી. ભગવાન આત્મા માટે કેટલા વિશેષણો કહ્યાં. ૫રમાત્માને નહીં પરંતુ નિજ પરમાત્મતત્ત્વને તેમ કહ્યું. અહીં નિજ ૫૨માત્માની વાત ચાલે છે. પેલા પરમાત્મા તેના ઘરે રહ્યા. પેલા સિદ્ધ પરમાત્મા તેને ઘરે રહ્યા. અરિહંત પરમાત્મા પણ તેને ઘરે રહ્યાં. હું તો નિજ પરમાત્મા છું. આ નિજ ૫૨માત્મા કેવો છે ? સદા નિરુપરાગ જેનું સ્વરૂપ છે એવા નિરંજન નિજ ૫રમાત્મતત્ત્વને-આ એકવચન કહ્યું. નવતત્ત્વોને તે બહુવચન કહેવાય, જ્યારે જીવતત્ત્વ તે એકવચન કહેવાય. એવા નિજ ૫૨મઉત્કૃષ્ટ આત્મતત્ત્વને, તત્ત્વને એટલે સ્વભાવને ખરેખર કર્મોની ઉપાધિ નથી. નિશ્ચયથી એટલે સાચી દૃષ્ટિથી જોવામાં આવે તો..., સાચો વિચાર કરવામાં આવે તો, અને ખોટો વિચાર છોડવામાં આવે તો, સાચું જ્ઞાન કરવામાં આવે તો ખરેખર દ્રવ્યકર્મના, જડકર્મના જઘન્ય-મધ્યમ કે ઉત્કૃષ્ટ સ્થિતિબંધના સ્થાનો નથી. જઘન્ય કર્મની સ્થિતિ અંતર્મુહૂર્તની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ સીત્તેર ક્રોડાક્રોડી સાગરની સ્થિતિ છે. જડકર્મની ઘટીને અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સીત્તેર ક્રોડાક્રોડી સાગરની છે. વચ્ચેની સ્થિતિને મધ્યમ સ્થિતિ કહેવામાં આવે છે. એ જઘન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટ સ્થિતિબંધના સ્થાનો આત્મામાં નથી. સીત્તેર ક્રોડાક્રોડી સુધીનો બંધ પણ જીવને થતો નથી. અંતર્મુહૂર્ત માટે પણ જીવને કર્મ બંધાતું નથી. કર્મનો બંધ કર્મમાં થાય છે કર્મનો બંધ જીવમાં થતો નથી. કેમકે જો Please inform us of any errors on [email protected]
SR No.008313
Book TitleShuddhantahtattva
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2002
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy